Rajkot : આટલા લોકોએ Heart Attackને કારણે ગુમાવ્યો જીવ, યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ


  • Published By :
  • Published Date : 2023-12-01 14:14:48

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે મરણ આપણા હાથમાં નથી. કોણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લેશે તેની ખબર નથી હોતી. જન્મ વખતે તો આપણને ખબર પણ હોય કે આટલા મહિના પછી બાળકનો જન્મ થશે પરંતુ મોત અંગે કઈ નથી કહી શકાતું કે વ્યક્તિ ક્યારે અંતિમ શ્વાસ લેશે. આ વાત અમે હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છીએ. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. સરેરાશ બેથી ત્રણ લોકો  પોતાનો જીવ હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં વધુ બે લોકોના મોત હૃદય હુમલાને કારણે ગુમાવી રહ્યા છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

રાજકોટમાં ફરી એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક

રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત છે. અનેક લોકોએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. સૌરાષ્ટ્રથી પ્રતિદિન આના કિસ્સાઓ આવી રહ્યા છે. હાર્ટ એટેકને કારણે રાજકોટ, જામનગર, ભાવનગર અમરેલી સહિતના વિસ્તારોથી આવા સમાચારો મુખ્યત્વે સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જામનગરથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 24 વર્ષીય યુવાને અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે રાજકોટથી ફરી એક વખત હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. બે વ્યક્તિના મોત થયા છે હાર્ટ એટેકને કારણે તેવી માહિતી સામે આવી છે. 


હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેની પહેલા જ... 

એક ઘટના રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સતારભાઈ જેમની ઉંમર 39 વર્ષીય હતી તેમને હાર્ટ એટેક આવ્યો.પોતાના ઘરેથી નજીક આવેલી દુકાનમાં  કંઈક વસ્તુ લેવા જઈ રહ્યા હતા ત્યારે ઘર પાસે તે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેની પહેલા જ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. પરિવારમાં માતમ છવાઈ ગયો. તે બીજી ઘટના બ્રાહ્મણીયાપરા વિસ્તારમાં બની જ્યાં 55 વર્ષીય વ્યક્તિ પોતાના ઘરે ખાટલા પર બેઠા હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યા. 


ભાવનગરમાં 20 વર્ષીય યુવકને થયો હૃદય હુમલો 

તે ઉપરાંત ગઈકાલે પણ ભાવનગરથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો. 20 વર્ષીય વિદ્યાર્થી મોતને ભેટ્યો કારણ કે તેને હાર્ટ એટેક આવ્યો. જીગર ચૌધરી નામનો યુવક મેડિકલમાં અભ્યાસ કરતો હતો. નાની ઉંમરે મોત થવાને કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. તે ઉપરાંત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ હળવો હાર્ટ એટેક આવ્યો હતો.  મહત્વનું છે કે કોરોના બાદ તો આવા કિસ્સાઓ, ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.