Rajkot : ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર! તે માાર્ગ પર લાગ્યા જ્યાંથી રેલી થવાની છે પસાર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-06 12:52:03

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત થાય તેવું લાગતું નથી... ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યું છે. આજે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની આજે બેઠક મળવાની છે અને આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ...! 

Image

અમદાવાદમાં મળી હતી ભાજપના નેતા અને સમાજના આગેવાનો વચ્ચે બેઠક 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે...ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. આ વિવાદ શાંત થાય તે માટે અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક થઈ હતી પરંતુ આ વિવાદ શાંત ના થયો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડીખમ છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો જેમાં ક્ષત્રાણીયોએ જૌહર કરવાની જાહેરાત કરી હતી. મહેંદી પણ લગાવી હતી અને આજે પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ક્ષત્રાણીઓ તૈયાર દેખાઈ હતી. મહિલાઓને નજરકેદ કરવામાં આવી છે.  


રાજકોટમાં લાગ્યા પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર!

રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજની બેઠક મળવાની છે, મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે કે પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. આ બધા વચ્ચે અનેક પોસ્ટરના ફોટો સામે આવી રહ્યા છે જેમાં એવું લખાણ લખવામાં આવ્યું છે કે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ...! એવી પણ માહિતી સામે આવી છે કે જે રસ્તા પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે રસ્તા પર આવા પોસ્ટર લાગ્યા છે... ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવા પોસ્ટરો લાગતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.... 



પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું હતું કે.... 

વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે હું ચુંટણીનું ફોર્મ ભરવા જાવ એટલે તમારે બધાએ આવવાનું છે. એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ, અમરેલી સહિતના લોકોને વિનંતી છે, ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડીબંધ આવવાનું છે. મહત્વનું છે કે સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના આવા નિવેદનથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા અને હવે આ પ્રકારના પોસ્ટરો લાગ્યા!    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.