રાજકોટ પોલીસે માર્યો યુ-ટર્ન, નિર્ણયમાં કર્યો ફેરફાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:09:46

નવરાત્રી આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર વગાડવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેનો વિરોધ થતા રાજકોટ પોલીસે આ પરિપત્ર પરત ખેંચી લીધો છે. જે બાદ હવે 12 વાગ્યા સુધી સ્પિકર વગાડવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પોલીસના નિર્ણયનો વિરોધ થતા, ગરબા આયજકો સાથે પોલીસે બેઠક કરી હતી જે બાદ આ નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે.


રાજકોટ પોલીસે પરત લીધો પોતાનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા 10 વાગ્યા સુધીની પરમિશન અપાતા ખેલૈયાઓ નારાજ જોવા મળ્યા હતા. જે બાદ હવે રાજકોટ પોલીસે 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી આપી છે.

મંજૂરી નહીં આપે તો બેઠા ગરબા ગાશું, પણ પરંપરા જાળવી રાખવા નવરાત્રીમાં  માતાજીની આરાધના કરીશું ' | The organizers of the ancient Garbi said, "If  you don't allow it, we will sing


ખેલૈયાઓમાં જાગ્યો ઉત્સાહ

રાજકોટ પોલીસ કમિશ્નરે ગરબા સંચાલકો સાથે બેઠક કરી હતી જે બાદ પોલીસે પોતાનો નિર્ણય પરત લીધો છે. નિર્ણયમાં ફેરફાર થયા બાદ ખેલૈયાઓમાં ઉત્સાહ ફરી જાગ્યો છે. 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી મળતા ગરબા આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.  


આ વખતે પોલીસે લીધો યુ-ટર્ન

રાજ્ય સરકાર અનેક વખત કાયદો બહાર પાડી લોકો દ્વારા વિરોધ કરાતા કાયદો પરત લઈ લેતી હોય છે. અનેક કાયદા એવા છે જેને લાગુ કરાયાના અમુક દિવસો બાદ પરત ખેંચી લેવાયા છે. ત્યારે રાજકોટ પોલીસે પણ પોતાના નિર્ણયને તરત બદલી લીધો છે. જેને લઈ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નિર્ણય પરત ખેંચાતા ખેલૈયાઓનાં આનંદમાં વધારો થયો છે.   



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.