Rajkot : અગ્નિકાંડના પીડિતોથી ઘેરાયા Parshottam Rupala!, જ્યારે તેમને પૂછવામાં આવ્યું આટલો સમય ક્યાં હતા તો તેમણે જવાબ આપ્યો કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-28 16:59:20

ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. હજી સુધી અનેક પરિવારોને પોતાના સ્વજનોનો મૃતદેહ નથી મળ્યો. મૃતદેહો માટે લોકો તડપી રહ્યા છે. શનિવારે બનેલી ઘટના મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી પરંતુ પરષોત્તમ રૂપાલા (રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર) ક્યાં ખોવાઈ ગયા તેવા સવાલો અનેક વખત ઉઠ્યા.. ત્યારે ઘટનાને આટલા દિવસો વિતી ગયા પછી પરષોત્તમ રૂપાલા દેખાયા.. રાજકોટની સિવિલ હોસ્પિટલની તેમણે મુલાકાત લીધી હતી જ્યાં તેમને મૃતકના પરિવારજનોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો

સિવિલ હોસ્પિટલની પરષોત્તમ રૂપાલાએ લીધી મુલાકાત

રાજકોટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે અને હવે ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે.. 27 જેટલી જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ.. મૃતકોના પરિવાર કલ્પાંત કરી રહ્યા છે. અનેક વખત સવાલ ઉઠ્યો કે ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આખી ઘટનામાં ક્યાંય ના દેખાયા. ઘટના બની તે બાદ એક વખત પણ તે દેખાયા ના હતા જેને કારણે અનેક સવાલો ઉઠ્યા. ત્યારે  આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત પરષોત્તમ રૂપાલાએ લીધી હતી. ત્યાં હાજર લોકોએ મીડિયા કર્મીઓએ પૂછ્યું કે આટલા સમય સુધી ક્યાં હતા?



જ્યારે પરષોત્તમ રૂપાલાને પૂછ્યું કે... 

સિવિલ હોસ્પિટલ પહોંચેલા પરષોત્તમ રૂપાલાને ત્યાં હાજર લોકોએ મીડિયા કર્મીઓએ ઘેરી લીધા હતા.. પરષોત્તમ રૂપાલાએ પીએમ રૂમની મુલાકાત લીધી અને તે બાદ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી.. રૂપાલાને સવાલ કરવામાં આવ્યો કે આટલા સમય સુધી તે ક્યાં હતા? જવાબમાં તેમણે કહ્યું કે હું પીએમ રૂમ ખાતે હવે આવ્યો છું, પરંતુ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. વિવાદ ઊભો ન થાય તે માટે હું સિવિલ આવ્યો ન હતો. 



શું કહ્યું પરષોત્તમ રૂપાલાએ?

લોકોને અગવડતા પડી રહી છે તે હું સમજુ છું. એટલા મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે અંગે જાણકારી મેળવવા આવ્યો છું. 27 પૈકી 17 જેટલા ડીએનએ મેચ થઈ જતા હવે માત્ર 10 જેટલા જ ડીએનએ મેચ કરવાના બાકી છે. 27 ડેથ બોડી ઘટના સ્થળ પરથી મળી આવી છે. થોડાક અંગો પાંગો સાથની ડેથ બોડી પણ મળી આવી છે. સિવિલ ખાતે પહોંચેલા પરષોત્તમ રૂપાલાનો મૃતકોના પરિવારજનો દ્વારા ઉઘડો લેવામાં આવ્યો હતો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... મહત્વનું છે ઘટના ઘટે 72 કલાક જેટલો સમય વિતી ગયો છે અને આટલા સમય બાદ પરષોત્તમ રૂપાલા હાજર થયા છે.. 




બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..