Rajkot Loksabha Seatના Congressના ઉમેદવાર પરેશ ધાનાણીએ કરી પ્રેસ કોન્ફરન્સ, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-17 13:22:15

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે... પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ છેડાયેલા વિવાદને કારણે આ સીટની ચર્ચાઓ થઈ રહી હતી. આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા ન હતા. કોંગ્રેસના કોણ ઉમેદવાર હશે તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. રાજકોટ લોકસભા બેઠક પર ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. ત્યારે આજે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.   

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપ્યું હતું નિવેદન 

ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ માત્ર અમુક જ બેઠક એવી છે જ્યાં લાગે છે કે ચૂંટણી રસાકસી વાળી થશે. એવી એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક. ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ઉઠી હતી. પરેશ ધાનાણીને કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા. પરેશ ધાનાણી ચૂંટણી નહીં લડે તેવી વાતો સામે આવી પરંતુ તેમને મનાવાઈ લેવાયા અને કોંગ્રેસે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યા આકરા પ્રહાર 

રાજકોટ લોકસભા સીટ પર રાજકારણ ગરમાયું છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જ્યારે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કવિતાના રૂપમાં અનેક વખત ભાજપ પર તેમણે કટાક્ષ કર્યો છે. ત્યારે હવે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે.  પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે આજે પણ મને વિશ્વાસ છે કે, રાજકોટને રણ મેદાનમાં ફેરવવાનો ચોક્કસપૂર્વક ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. બીજેપીના ઉમેદવાર અને સંભવિત ભાવી પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે. લોકો એવું માને છે કે,સારા વાચક પણ હશે.   



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.