Rajkot Loksabha Seatના Congressના ઉમેદવાર પરેશ ધાનાણીએ કરી પ્રેસ કોન્ફરન્સ, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-17 13:22:15

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે... પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ છેડાયેલા વિવાદને કારણે આ સીટની ચર્ચાઓ થઈ રહી હતી. આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા ન હતા. કોંગ્રેસના કોણ ઉમેદવાર હશે તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. રાજકોટ લોકસભા બેઠક પર ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. ત્યારે આજે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.   

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપ્યું હતું નિવેદન 

ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ માત્ર અમુક જ બેઠક એવી છે જ્યાં લાગે છે કે ચૂંટણી રસાકસી વાળી થશે. એવી એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક. ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ઉઠી હતી. પરેશ ધાનાણીને કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા. પરેશ ધાનાણી ચૂંટણી નહીં લડે તેવી વાતો સામે આવી પરંતુ તેમને મનાવાઈ લેવાયા અને કોંગ્રેસે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યા આકરા પ્રહાર 

રાજકોટ લોકસભા સીટ પર રાજકારણ ગરમાયું છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જ્યારે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કવિતાના રૂપમાં અનેક વખત ભાજપ પર તેમણે કટાક્ષ કર્યો છે. ત્યારે હવે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે.  પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે આજે પણ મને વિશ્વાસ છે કે, રાજકોટને રણ મેદાનમાં ફેરવવાનો ચોક્કસપૂર્વક ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. બીજેપીના ઉમેદવાર અને સંભવિત ભાવી પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે. લોકો એવું માને છે કે,સારા વાચક પણ હશે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.