રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક દીપડાના ધામા, વનવિભાગની 6 ટીમો કામે લાગી


  • Published By :
  • Published Date : 2023-12-28 16:25:42

સૌરાષ્ટ્રમાં સિંહ અને દીપડાનો આતંક વધી રહ્યો છે, રાજકોટ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ દીપડો 3-4 વર્ષનો છે. ગઈ કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલા રૈયાધાર વિસ્તારમાં દીપડો જોવા મળતા વન વિભાગ એક્શનમાં આવ્યો છે. વિભાગની ટીમ દીપડાને પકડવા માટે પહોંચી હતી, ટીમના સભ્યોએ મોડી રાત સુધી શોધખોળ ચલાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિક્યુરિટી વિભાગને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. લોકોને આ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના પણ આપી દેવામાં આવી હતી. આ સાથે જ બેરીકેટ પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા.


આ વિસ્તારોમાં જોવો મળ્યો દીપડો


દીપડાનો પકડવા માટે ફોરેસ્ટ વિભાગની 6 જેટલી ટીમો કામે લાગી છે. અત્યાર સુધીમાં જે-જે વિસ્તારમાં દીપડો દેખાયો ત્યાંની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ રાજકોટ જિલ્લાના વાગુદડ ગામ નજીક  દીપડો દેખાયો હતો. ત્યાર બાદ મુજકા ગામ પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચા ચાવી હતી. જે પછી કૃષ્ણનગર ગામમાં અને પછી રામનગર ગામમાં પણ દીપડો દેખાયો હોવાનો દાવો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. ફરી દીપડો રામનગર ગામમાં આવ્યો હતો અને અહીંયા કુતરાનું મારણ કર્યું હતું. ત્યાર બાદ દીપડો રાજકોટ શહેરમાં આવી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.