રાજકોટના આ જ્વેલર્સને ત્યાં ITની રેડ, 1300 કરોડના બેનામી ટ્રાન્ઝેક્સન મળ્યા, સોનીબજારમાં ફફડાટ


  • Published By :
  • Published Date : 2023-07-17 20:23:18

રાજકોટ અને જુનાગઢમાં પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. આ ઓપરેશન હેઠળ રાજકોટ અને જુનાગઢના જ્વેલર્સને ત્યાં છેલ્લા 6 દિવસોથી IT વિભાગના દરોડા ચાલી રહ્યા છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. જેમાં આઈટી વિભાગને 1300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. IT વિભાગે 32 જેટલા સ્થળોએ તપાસ શરૂ કરી છે જેમાં અનેક બેનામી મિલ્કત સંબંધીત ફાઈલો પણ મળી આવી છે આ મામલે IT અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ રેડ અંગે અમદાવાદની ઈન્કમટેક્સ ઓફિસના ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.


ITના દરોડાથી જ્વેલર્સમાં ફફડાટ


રાજકોટના ત્રણ જાણીતા જ્વેલર્સ અને તેમના નિવાસ્થાનેથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળ્યા છે. રાજકોટના મોટા જ્વેલર્સ શિલ્પા, રાધિકા અને જે પી જ્વેલર્સને ત્યાં IT વિભાગની કાર્યવાહી યથાવત છે. કુલ 200 જેટલા અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્રણેય જવેલર્સના મેનેજર, કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ અને મોબાઈલની પણ તપાસ થઈ રહી છે. અત્યાર સુધીમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. જેમાં 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવી છે. આ દરોડામાં જ્વેલર્સના બેંક લોકર સીલ કરી દેવાયા છે. રાજકોટ IT દરોડાથી સોની બજારમાં સોપો પડી ગયો છે, સોની બજારમાં કેટલીક દુકાનો ખુલી જ નથી. જ્વેલર્સનું કલકત્તાનું કનેક્શન ખૂલતા ITની તવાઈ આવી હોવાની આશંકા છે. અમદાવાદ રાજકોટના ITનાં અધિકારી સહિત સ્ટાફની ટીમો તપાસમાં લાગી હતી.


આ જ્વેલર્સ પર ITની તવાઈ


(1)રાજકોટના રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે B-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી. પેલેસ રોડ અને કાલાવડ રોડ સ્થિત શોરૂમ, અશોક ઝીંઝુવાડિયા અને હરેશ ઝીંઝુવાડિયાના નિવાસસ્થાને તપાસ, એટલાન્ટિસ ફ્લેટના પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હિરેન પારેખ, ભાસ્કર પારેખ, અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાના નિવાસ સ્થાને અને શો-રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. (2) શિલ્પા જ્વેલર્સ-કોઠારિયા નાકા,150 ફુટ રિંગરોડ, અક્ષર માર્ગ પર આવેલા શોરૂમ તથા પેઢીના માલિકો પ્રભુદાસ પારેખ,ભાસ્કર અને હરેનના નિવાસસ્થાને અને કોલકત્તા ખાતેના યુનિટમાં પણ તપાસ (3)જે.પી.જ્વેલર્સમાં પણ હાથ ધરાઇ તપાસ, તેના રાજકોટ અને અમદાવાદ ખાતેના યુનિટમાં તપાસ (4)જુનાગઢના સીવીએમ જ્વેલર્સમાં પણ કાર્યવાહી. તે ઉપરાંત જ્વેલર્સ સાથે સંકળાયેલા વિમલ પાદરીયા, કેતન પટેલ અને મિલન મહેતા નામના બિલ્ડરના ઘર અને તેની ઓફિસોમાં પણ આઇટીની તપાસ ચાલી રહી છે.


શા માટે  IT વિભાગે દરોડા પાડ્યા?


રાજકોટ અને જુનાગઢના જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા મામલે આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં રાજકોટની સોની બજારમાં મોટા ટ્રાન્જેકશન થયા હતા. એક શક્યતા પ્રમાણે GST વિભાગ દ્રારા આ અંગેની માહિતી ઇન્કમટેક્સ વિભાગને પહોંચાડી હતી. થોડા દિવસો પહેલા બે હજારની ગુલાબી નોટ સરકાર દ્રારા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સૌથી મોટા ટ્રાજેક્શન રાજકોટની સોની બજારમાં થયા હતા. જેના કારણે મોટી પેઢીઓ ITના રડારમાં આવી હતી. એટલું જ નહીં રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સ બિલ્ડર લોબી અને ફાયનાન્સર સાથે પણ સંકળાયેલા છે. જેને લઇને મોટા વ્યવહાર બહાર આવે તેવી શક્યતા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!