Diwali પહેલા Rajkot આરોગ્ય વિભાગ એક્ટિવ મોડમાં, આટલા કિલો અખાદ્ય પદાર્થનો કરાયો નાશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-08 09:22:27

દિવાળીના પર્વને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીના સમયે મીઠાઈ તેમજ નાસ્તાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. દિવાળી સમયે સિઝન હોવાને કારણે થોડા સમય પહેલાથી મીઠાઈનો તેમજ ફરસાણ/નાસ્તાનો સ્ટોક વેપારીઓ કરી રાખતા હોય છે. આજકાલ નકલી ખાદ્યપદાર્થોએ અનેક જગ્યાઓથી મળી આવે છે. નકલી ખાદ્યપદાર્થો તો મળી આવે છે પરંતુ નકલી ઘી, નકલી મસાલો, નકલી ઈનો વગેરે પણ નકલી માર્કેટમાં ફરી રહ્યું છે. ત્યારે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ ફુડ વિભાગ દ્વારા વાવડી ગામમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું કે જમીન ઉપર ચકરીનો લોટ બાંધવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત સ્ટોક કરેલો ફરસાણનો જથ્થો વાસી જણાતા 1400 કિલો ફરસાણનો નાશ કરાયો છે ઉપરાંત સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ મનપાના ફૂડ વિભાગ એલર્ટ

દિવાળી સમયે મીઠાઈ તેમજ ફરસાણની વધે છે માગ

લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિવાળીના તહેવારની ઉજવણી થોડા દિવસો બાદ શરૂ થઈ જશે. તહેવારને ધ્યાનમાં રાખી લોકો નાસ્તો તેમજ મીઠાઈ બહારથી ખરીદતા હોય છે. એ સમય દરમિયાન આ વસ્તુઓનું ધૂમ વેચાણ થતું હોય છે. નાસ્તાની તેમજ મીઠાઈની માગ આ સમયગાળા દરમિયાન સૌથી વધારે હોય છે, માગને પહોંચી વળવા માટે થોડા સમય પહેલાથી દુકાનદારો સ્ટોક કરવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ એટલા સમય પહેલાથી નાસ્તો બનાવી દેતા હોય છે કે દિવાળી આવતા આવતા તે વાસી થઈ જાય છે.! વાસી જથ્થાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે વાસી ખાદ્યપદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે.    

રાજકોટ ફૂડ વિભાગની તવાઈ

ફૂડ વિભાગ દ્વારા આ જગ્યા પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ 

ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વાવડી ગામ જલીયાણ ઈન્ડસ્ટ્રીઝ એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી "માહી ફૂડ પ્રોડકટ્સ"માં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારના નમકીનનું વેચાણ કરવામાં આવે છે. અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્યપદાર્થ બનાવવામાં આવતું હોય તે પણ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને જાણવા મળ્યું. ઉપરાંત એક્સપાયરી ડેટની માહિતી પણ આપવામાં આવી ન હતી. તે સિવાય 715 કિલો જેટલો નાસ્તો વાસી થઈ ગયો હતો. એ જથ્થાનો નાસ કરવામાં આવ્યો. આવો અખાદ્ય જથ્થો બજારમાં ન ફરતા થાય તે માટે તેનો નાશ ત્વરીત કરવામાં આવ્યો. 

rajkot-news-1400-kg-inedible-farsan-destroyed-ahead-of-diwali-2023-228919



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.