Diwali પહેલા Rajkot આરોગ્ય વિભાગ એક્ટિવ મોડમાં, આટલા કિલો અખાદ્ય પદાર્થનો કરાયો નાશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-08 09:22:27

દિવાળીના પર્વને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીના સમયે મીઠાઈ તેમજ નાસ્તાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. દિવાળી સમયે સિઝન હોવાને કારણે થોડા સમય પહેલાથી મીઠાઈનો તેમજ ફરસાણ/નાસ્તાનો સ્ટોક વેપારીઓ કરી રાખતા હોય છે. આજકાલ નકલી ખાદ્યપદાર્થોએ અનેક જગ્યાઓથી મળી આવે છે. નકલી ખાદ્યપદાર્થો તો મળી આવે છે પરંતુ નકલી ઘી, નકલી મસાલો, નકલી ઈનો વગેરે પણ નકલી માર્કેટમાં ફરી રહ્યું છે. ત્યારે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ ફુડ વિભાગ દ્વારા વાવડી ગામમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું કે જમીન ઉપર ચકરીનો લોટ બાંધવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત સ્ટોક કરેલો ફરસાણનો જથ્થો વાસી જણાતા 1400 કિલો ફરસાણનો નાશ કરાયો છે ઉપરાંત સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ મનપાના ફૂડ વિભાગ એલર્ટ

દિવાળી સમયે મીઠાઈ તેમજ ફરસાણની વધે છે માગ

લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિવાળીના તહેવારની ઉજવણી થોડા દિવસો બાદ શરૂ થઈ જશે. તહેવારને ધ્યાનમાં રાખી લોકો નાસ્તો તેમજ મીઠાઈ બહારથી ખરીદતા હોય છે. એ સમય દરમિયાન આ વસ્તુઓનું ધૂમ વેચાણ થતું હોય છે. નાસ્તાની તેમજ મીઠાઈની માગ આ સમયગાળા દરમિયાન સૌથી વધારે હોય છે, માગને પહોંચી વળવા માટે થોડા સમય પહેલાથી દુકાનદારો સ્ટોક કરવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ એટલા સમય પહેલાથી નાસ્તો બનાવી દેતા હોય છે કે દિવાળી આવતા આવતા તે વાસી થઈ જાય છે.! વાસી જથ્થાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે વાસી ખાદ્યપદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે.    

રાજકોટ ફૂડ વિભાગની તવાઈ

ફૂડ વિભાગ દ્વારા આ જગ્યા પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ 

ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વાવડી ગામ જલીયાણ ઈન્ડસ્ટ્રીઝ એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી "માહી ફૂડ પ્રોડકટ્સ"માં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારના નમકીનનું વેચાણ કરવામાં આવે છે. અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્યપદાર્થ બનાવવામાં આવતું હોય તે પણ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને જાણવા મળ્યું. ઉપરાંત એક્સપાયરી ડેટની માહિતી પણ આપવામાં આવી ન હતી. તે સિવાય 715 કિલો જેટલો નાસ્તો વાસી થઈ ગયો હતો. એ જથ્થાનો નાસ કરવામાં આવ્યો. આવો અખાદ્ય જથ્થો બજારમાં ન ફરતા થાય તે માટે તેનો નાશ ત્વરીત કરવામાં આવ્યો. 

rajkot-news-1400-kg-inedible-farsan-destroyed-ahead-of-diwali-2023-228919



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!