Rajkot ગેમ ઝોન અગ્નિકાંડ : મૃતકના પરિવારને અપાશે ચાર લાખની સહાય , CM દ્વારા કરાઈ જાહેરાત, કમેન્ટમાં દેખાયો લોકોનો ગુસ્સો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-26 11:02:34

રાજકોટમાં જે કરૂણાંતિકા સર્જાઈ તે અત્યંત પીડા દાયક છે.. 28 જેટલા લોકો આગમાં બળીને ખાખ થઈ ગયા.. મજા કરવા માટે આવેલા બાળકો મોતને વ્હાલા થઈ ગયા.. ગુજરાતમાં આવી ઘટના પહેલી વાર નથી બની જેમાં લોકોના મૃત્યુ થયા હોય. ઈતિહાસમાં અનેક ઘટનાઓના સાક્ષી આપણે રહ્યા છીએ..દર વખતે જ્યારે આવી ઘટના થાય છે ત્યારે મંત્રીઓ દ્વારા સંવેદના પ્રગટ કરવામાં આવે છે, સ્થળની મુલાકાત લેવામાં આવે છે.. જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે જીવની કિંમત નક્કી કરવામાં આવે છે સહાયના સ્વરૂપમાં! 

મૃતકોને ચાર લાખ આપવાની કરાઈ જાહેરાત!

આ ઘટના બાદ મુખ્યમંત્રી દ્વારા એક ટ્વિટ કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.


આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.  


કમેન્ટમાં દેખાયો લોકોનો ગુસ્સો!

આ ટ્વિટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી જેમાં લોકોનો આક્રોશ દેખાઈ આવતો હતો.. કોઈએ લખ્યું કે દાદા ખરેખર માણસની કિંત 4 લાખ રુપિયા છે? અત્યંત શરમજનક.. તો બીજા કોઈ યુઝરે લખ્યું કે આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે પણ આ સુનિશ્ચિત કોણ કરશે?? તમારા ભ્રષ્ટ અધિકારીઓ કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ?? ગુજરાતમાં આટ આટલી ઘટનાઓ બની પણ તમારી સરકારે કંઈ ઘટનામાંથી બોધપાઠ લીધો??  તો કોઈએ લખ્યું ટ્વિટ બંધ કરો ને પગલા લ્યો ફાયર NOC વીના ગેમ ઝોન કેમ ચાલે??? કાંકરિયા, વડોદરા,સુરત,મોરબી અને હવે આ રાજકોટ સાહેબ ફક્ત દુઃખ વર્ણવવા થી શુ થશે? પગલાં હવે તો લ્યો. તો કોઈએ સુરતની ઘટનાને યાદ કરતા લખ્યું કે કોઈ નું મોત થઈ જાય તો 4 લાખ-5 લાખ compensation આપી ને મોત ની મજાક ઉડાડે છે આપણી સિસ્ટમ..

    

પૈસા આપવાથી નથી પાછો આવતો વ્હાલસોયાનો જીવ!

મહત્વનું છે કે ઘટના સર્જાય છે, સહાય માટે રકમની જાહેરાત કરવામાં આવે છે ત્યારે સવાલ થાય કે પૈસા અથવા તો વળતર આપી દેવાથી તે માણસ પાછું આવવાનું છે? એ માતા પિતાને, એ પરિવારને પોતાનું સ્વજન પાછુ મળવાનું છે જે આ દુર્ઘટનામાં મોતને ભેટ્યું છે? જ્યારે મૃતકોના પરિવાર સાથે ટીમ મુલાકાત લેતી હોય છે ત્યારે તેમના પરિવારજનો કહેતા હોય છે કે અમે પૈસા આપીએ તમે અમારા વ્હાલસોયાને પાછા લાવી આપો.. વાત કદાચ સાચી પણ છે કે પૈસાથી એ વ્યક્તિની કિંમત નથી કરાતી.. ગમે તેટલા પૈસા કેમ ના આપવામાં આવે વળતર સ્વરૂપે પરંતુ દુનિયાને અલવિદા કહીને ગયેલો વ્યક્તિ પાછો ક્યારેય નથી આવતો...!   




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.