Rajkot ગેમ ઝોન અગ્નિકાંડ : મૃતકના પરિવારને અપાશે ચાર લાખની સહાય , CM દ્વારા કરાઈ જાહેરાત, કમેન્ટમાં દેખાયો લોકોનો ગુસ્સો!


  • Published By :
  • Published Date : 2024-05-26 11:02:34

રાજકોટમાં જે કરૂણાંતિકા સર્જાઈ તે અત્યંત પીડા દાયક છે.. 28 જેટલા લોકો આગમાં બળીને ખાખ થઈ ગયા.. મજા કરવા માટે આવેલા બાળકો મોતને વ્હાલા થઈ ગયા.. ગુજરાતમાં આવી ઘટના પહેલી વાર નથી બની જેમાં લોકોના મૃત્યુ થયા હોય. ઈતિહાસમાં અનેક ઘટનાઓના સાક્ષી આપણે રહ્યા છીએ..દર વખતે જ્યારે આવી ઘટના થાય છે ત્યારે મંત્રીઓ દ્વારા સંવેદના પ્રગટ કરવામાં આવે છે, સ્થળની મુલાકાત લેવામાં આવે છે.. જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે જીવની કિંમત નક્કી કરવામાં આવે છે સહાયના સ્વરૂપમાં! 

મૃતકોને ચાર લાખ આપવાની કરાઈ જાહેરાત!

આ ઘટના બાદ મુખ્યમંત્રી દ્વારા એક ટ્વિટ કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.


આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.  


કમેન્ટમાં દેખાયો લોકોનો ગુસ્સો!

આ ટ્વિટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી જેમાં લોકોનો આક્રોશ દેખાઈ આવતો હતો.. કોઈએ લખ્યું કે દાદા ખરેખર માણસની કિંત 4 લાખ રુપિયા છે? અત્યંત શરમજનક.. તો બીજા કોઈ યુઝરે લખ્યું કે આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે પણ આ સુનિશ્ચિત કોણ કરશે?? તમારા ભ્રષ્ટ અધિકારીઓ કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ?? ગુજરાતમાં આટ આટલી ઘટનાઓ બની પણ તમારી સરકારે કંઈ ઘટનામાંથી બોધપાઠ લીધો??  તો કોઈએ લખ્યું ટ્વિટ બંધ કરો ને પગલા લ્યો ફાયર NOC વીના ગેમ ઝોન કેમ ચાલે??? કાંકરિયા, વડોદરા,સુરત,મોરબી અને હવે આ રાજકોટ સાહેબ ફક્ત દુઃખ વર્ણવવા થી શુ થશે? પગલાં હવે તો લ્યો. તો કોઈએ સુરતની ઘટનાને યાદ કરતા લખ્યું કે કોઈ નું મોત થઈ જાય તો 4 લાખ-5 લાખ compensation આપી ને મોત ની મજાક ઉડાડે છે આપણી સિસ્ટમ..

    

પૈસા આપવાથી નથી પાછો આવતો વ્હાલસોયાનો જીવ!

મહત્વનું છે કે ઘટના સર્જાય છે, સહાય માટે રકમની જાહેરાત કરવામાં આવે છે ત્યારે સવાલ થાય કે પૈસા અથવા તો વળતર આપી દેવાથી તે માણસ પાછું આવવાનું છે? એ માતા પિતાને, એ પરિવારને પોતાનું સ્વજન પાછુ મળવાનું છે જે આ દુર્ઘટનામાં મોતને ભેટ્યું છે? જ્યારે મૃતકોના પરિવાર સાથે ટીમ મુલાકાત લેતી હોય છે ત્યારે તેમના પરિવારજનો કહેતા હોય છે કે અમે પૈસા આપીએ તમે અમારા વ્હાલસોયાને પાછા લાવી આપો.. વાત કદાચ સાચી પણ છે કે પૈસાથી એ વ્યક્તિની કિંમત નથી કરાતી.. ગમે તેટલા પૈસા કેમ ના આપવામાં આવે વળતર સ્વરૂપે પરંતુ દુનિયાને અલવિદા કહીને ગયેલો વ્યક્તિ પાછો ક્યારેય નથી આવતો...!   




વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.