Rajkot : દિલ્હી જેવી ઘટના હિરાસર એરપોર્ટ પર બની, વરસાદ અને ભારે પવનને કારણે એરપોર્ટ પર કેનોપી ધરાશાયી થઈ....


  • Published By :
  • Published Date : 2024-06-29 13:44:10

ગઈકાલે દિલ્હીથી સમાચાર સામે આવ્યા કે એરપોર્ટ પર ટર્મિનલ 1ની છત તૂટી પડી. એક વ્યક્તિનું મોત આ ઘટનામાં થયું, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.. આ સમાચારની ચર્ચા ખતમ ના થઈ હતી ત્યાં તો દિલ્હી જેવી ઘટના ગુજરાતના રાજકોટમાં બની.. રાજકોટ હિરાસર એરપોર્ટ પર ભારે પવન તેમજ વરસાદને કારણે પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ છે તેવી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર હજી સુધી સામે આવ્યા નથી... આશા રાખીએ કે આવા સમાચાર સામે આવે પણ નહીં... 

નબળા બાંધકામને કારણે કોઈ વખત... 

વરસાદ જ્યારે આવે છે ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ મોનસુન કામગીરીની પોલ ખુલી જતી હોય છે. થોડા વરસાદની અંદર વરસાદી પાણી ભરાઈ જતા હોય છે.. તે પોલ તો ખુલે છે પરંતુ constructionમાં નબળી કામગીરી કરી હોય તેવી પોલ પણ ખુલે છે.. નબળું બાંધકામ કરવામાં આવ્યું છે તેવી પોલ પણ ઉજાગર થાય છે.. નિર્માણ પામી રહેલો બ્રિજ તૂટી જાય છે, દિવાલો તૂટી જાય છે.. દુર્ઘટના સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. 




રાજકોટના હીરાસર એરપોર્ટ પર બની દિલ્હી જેવી ઘટના 

ગઈકાલે દિલ્હીથી એરપોર્ટની છત તૂટવાના સમાચાર આવ્યા અને આજે તેવી જ ઘટના રાજકોટમાં બની..   ભારે પવન તેમજ વરસાદને કારણે પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ છે.. એરપોર્ટ બને એક વર્ષ પણ નથી થયું અને આ દુર્ઘટના સર્જાઈ છે. મહત્વનું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે બહુ લોકો હાજર ના હતા.. મોટી દુર્ઘટના ટળી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે