રાજકોટમાં સિટી બસ ડ્રાઈવરે મહિલાને એડફેટે લેતા લોકોમાં આક્રોશ, રોષે ભરાયેલા લોકોએ બસમાં કરી તોડફોડ


  • Published By :
  • Published Date : 2023-09-26 21:40:22

રાજ્યના અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં શહેરીજનોની સુવિધા માટે ખાસ સીટી બસ સેવા છે. જો કે ઘણી વખત એવું બને છે કે આ સીટી બસના ડ્રાઈવરો લોકો માટે સુવિધા કરતા અસુવિધા વધારનારા બની રહે છે. અમદાવાદ હોય કે રાજકોટ એક બાબત તો જગજાહેર છે કે સીટી બસના ડ્રાઈવરો બેફામ બનીને ડ્રાઈવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. રાજકોટમાં સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા મામલો વણસ્યો હતો. આ ઘટના બાદ વિફરેલા લોકોએ સીટી બસમાં તોડફોડ કરી હતી.


સિટી બસ ડ્રાઈવર સામે લોકોમાં ભારે રોષ 


રાજકોટના આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીક બેફામ રીતે સિટી બસ હંકારી રહેલા બસચાલકે એક્ટિવા લઇને રસ્તા પરથી પસાર થઇ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં એકઠા થયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી અને બસના કાચ તોડી નાંખ્યા હતા. અકસ્માતને નજરે જોનારા લોકોનું પણ કહેવું હતું કે, ભૂલ બસચાલકની હતી. તે બેફામ રીતે બસ હંકારી રહ્યો હતો. જ્યારે મહિલાના પરિવારજનોમાં પણ આ ઘટનાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મહિલાને સારવાર માટે ખસેડાયા


રાજકોટમાં સીટી બસ ડ્રાઈવરે મહિલાને અડફેટે લીધા બાદ એકઠા થયેલા લોકો દ્વારા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે, અવારનવાર શહેરમાં રસ્તા પરથી પસાર થતાં સામાન્ય લોકો તેનો શિકાર બને છે. ત્યારે લોકોમાં બેફામ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ પણ ઉઠી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.