Rajkot : ફરી એક નબીરાએ સર્જ્યો અકસ્માત, મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને નબીરાએ ઉડાડ્યા, નબીરાઓને નથી કાયદાનો ડર!


  • Published By :
  • Published Date : 2024-03-01 13:37:35

અકસ્માત અને નબીરા આ શબ્દ જાણે એકબીજાનો પર્યાય બની ગયો હોય તેવું લાગે છે. અકસ્માતની અનેક ઘટનાઓમાં નબીરાઓ દ્વારા બેફામ રીતે ચલાવવામાં આવતા વાહનો જવાબદાર હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક નબીરાએ અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોના જીવ જતા રહ્યા હતા. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટમાં બન્યો છે. બેફામ બનેલા નબીરાએ સહકાર મેઈન રોડ પરના ત્રિશુળ ચોક પાસે અકસ્માતની હારમાળા સર્જી હતી. વૃદ્ધ,રાહદારી યુવાન અને બે વિદ્યાર્થિનીઓને નબીરાએ એડફેટે લીધા છે.  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને જે વીડિયો સામે આવ્યો છે તે એકદમ ભયંકર છે. 

Rajkot:  Another accident occurred in Rajkot Rajkot: રાજકોટમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, વૃદ્ધ, યુવાન અને બે વિદ્યાર્થીઓને લીધી અડફેટે


ફરી એક નબીરાએ લોકોને લીધા અડફેટમાં!

રસ્તાને અનેક નબીરાઓ પોતાના બાપનો બગીચો સમજતા હોય છે. રસ્તા પર એવી રીતે બેફામ બની વાહન ચલાવતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને વ્યક્તિનું મોત થતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોને નબીરાએ કચડી નાખ્યા હતા તે બાદ ફરી એક નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. ત્યારે રાજકોટમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં નબીરાએ એક નહીં પરંતુ અનેક લોકોને પોતાની અડફેટે લીધા છે. એવી માહિતી સામે આવી છે કે આધેડનું મોત થઈ ગયું છે.  



ઘટનાની જાણ થતાં પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ! 

મળતી માહિતી અનુસાર વૃદ્ધ,રાહદારી યુવાન અને બે વિદ્યાર્થિનીઓને નબીરાએ એડફેટે લીધા છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.  સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  


નબીરાઓને નથી કાયદાનો ડર? 

પંરતુ પ્રશ્ન એ થાય કે આવા નબીરાઓને પોલીસનો કોઈ ડર જ નથી?  નબીરાઓને કાયદાનો ડર જ નથી? શું નબીરાઓને લાગે છે કે પૈસાથી તે સિસ્ટમ ખરીદી શકે છે? જો નબીરાઓ એવું માનતા હોય કે અકસ્માત કરશે, પોલીસ કાર્યવાહી કરશે અને તે પૈસાના દમથી છૂટી જશે તો તેમની ભ્રમણા પોલીસે દૂર કરવી પડશે. કાર્યવાહી કરી એવા દાખલા બેસાડવા પડશે કે જેનાથી બીજા લોકોમાં પણ કાયદાને લઈ ડર બેસે.. 




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.