રાજકોટ એઈમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર પદેથી ડૉ. વલ્લભ કથીરિયાએ આપ્યું રાજીનામું, અચાનક જ હોદ્દો છોડતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-09-01 20:17:28

રાજકોટ એઈમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર પદેથી  ડૉ. વલ્લભ કથીરિયાએ રાજીનામું આપી દેતા સૌરાષ્ટ્રભરનું રાજકારણ ગરમાયું છે. સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ. વલ્લભ કથીરિયાને થોડા દિવસ અગાઉ રાજકોટ એમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી. પરંતુ તેમણે અચાનક જ રાજકોટ એઈમ્સના પ્રેસિડેન્ટ  ડોક્ટરના પદેથી રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. કેંદ્રીય સચિવ અરૂણ કુમાર વિશ્વાસે રાજીનામાનો સ્વીકારી છે. ડૉ. વલ્લભ કથીરિયાએ  18 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો હતો. તેમને તાજેતરમાં પરાપીપળીયા ખાતે નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલના પ્રેસિડેન્ટ ડોક્ટર બનાવવામાં આવ્યા હતા. જો કે, તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ડો.કથીરિયા અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોક્ટર કથીરિયાનું રાજીનામું મંજુર કરતા રાજકોટ એમ્સને હવે નવા પ્રેસિડેન્ટ મળશે.


સન્માન સમારોહ પહેલા જ રાજીનામું

 

ડો. વલ્લભ કથીરિયાને સાત દિવસ પહેલા જ એઇમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર બનાવવામાં આવ્યા હતા. ડો.વલ્લભ કથીરિયાને સન્માનિત કરવામાં આવે તે પૂર્વે જ તેના રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મીડિયા સુધી કેન્દ્રીય સચિવનો પત્ર પહોંચતો કરવામાં આવ્યો હતો. રાજકોટની સરસ્વતી શિશુ વિદ્યામંદિર ખાતે શુક્રવારના રોજ છ થી સાત કલાકે તેમનો સન્માન સમારોહ યોજાવાનો હતો. કાર્યક્રમની પત્રિકા પણ વહેંચાઈ ચૂકી હતી. સન્માન સમારોહ શરૂ થવાના ગણતરીના કલાક પૂર્વે જ રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.