રાજેન્દ્ર ત્રિવેદીએ BJPને માતાનો દરજ્જો આપ્યો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 19:29:28


ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે  એને હવે  ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. એમાં ઘણા નેતાઓને ટિકિટ ફાળવવામાં નથી આવી તો ઘણા નેતાએ સ્વેચ્છાએ જ ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીને કહ્યો છે. વળી આ વખતે યુવા ચહેરાઓને પણ સારી તક મળી છે. રાવપુરા વિધાનસભા બેઠક પરથી બાળુ શુક્લાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. એમને શુભેચ્છા પાઠવવા માટે રાજેન્દ્ર ત્રિવેદીના કાર્યલયે બેઠક યોજાઈ હતી. જેમાં અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.


શું કહ્યું રાજેન્દ્ર ત્રિવેદીએ ?


રાવપુરા વિધાનસભા બેઠક પરથી બાળુભાઈ શુક્લને ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભાજપમાં આ બેઠક પર જે પરિવર્તન જોવા મળે છે એ નામનું જ લાગે છે. મારા મત મુજબ તો ચૂંટણીમાં કમળ જ સર્વોપરી છે. તથા અત્યારસુધી કમળ જ ચૂંટણી લડતું આવે છે.


રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપને માતાનો દરજ્જો આપ્યો


રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું "ભાજપના સિદ્ધાંતો મારામાં રોપાયેલા છે. આ પાર્ટી સાથે હું લગભગ 16 વર્ષથી જોડાયેલો છું. મને ભાજપે ઘણું બધુ આપ્યું છે. વળી આ પાર્ટીમાં જ હું મોટો થયું છે એટલે ભાજપ મારા માતા સમાન છે"



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.