આમ આદમી પાર્ટીનો સાથ છોડી શકે છે રાજભા ઝાલા


  • Published By :
  • Published Date : 2022-11-06 15:10:56

ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવા કામ કરી રહી છે ત્યારે આંતરિક ડખા થવાને કારણે અનેક નેતાઓ આમ આદમી પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પસંદ કર્યા છે જે બાદ અનેક નેતાઓની નારાજગી ખૂલીને સામે આવી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને રાજભા ઝાલાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઈન્દ્રનીલે આપનો છેડો ફાડી દીધો છે. જ્યારે રાજભા ઝાલા પણ ટૂંક સમયમાં પાર્ટીનો છેડો ફાડી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે. 

Rajbha Zala Archives - ગુજરાત તક

રાજભા ઝાલા છે આમ આદમી પાર્ટીથી નારાજ

ગુજરાતની રાજનીતિમાં ઉતરવા આમ આદમી પાર્ટી જોર લગાવી રહી છે. ગુજરાતમાં સરકાર બનાવા પ્રયાસ કરી રહી છે. આપે ભાજપ અને કોંગ્રેસ પહેલા પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી હતી. જે બાદ મુખ્યમંત્રીના ચહેરાની પણ ઘોષણા કરવામાં આવી હતી, જેને લઈ પાર્ટીમાં અંદરખાને ચાલતો વિવાદ એકાએક બહાર આવી ગયો હતો. કોંગ્રેસને અલવિદા કહી આમ આદમી પાર્ટીમાં ઈન્દ્રનીલ જોડાયા હતા. નારાજ થયેલા ઈન્દ્રનીલે કોંગ્રેસમાં ઘરવાપસી કરી દીધી છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી આપમાં જોડાનાર રાજભા ઝાલા પણ ટૂંક સમયમાં આપનો સાથ છોડી શકે છે. 

गुजरात में ईसूदान गढ़वी होंगे AAP के सीएम कैंडिडेट, केजरीवाल ने किया ऐलान -  Isudan Gadhvi AAP CM candidate in Gujarat Kejriwal announced ntc - AajTak

14 નવેમ્બર બાદ છોડી શકે છે AAPનો સાથ

નારાજ થયેલા રાજભાએ પોતાના સમર્થકો સાથે બેઠક કરી હતી. હાલ ગુજરાતના પ્રવાસે અરવિંદ કેજરીવાલ આવ્યા છે. અનેક જગ્યાએ રોડ-શો કરી તેઓ આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજભા ઝાલાએ પોતાને કેજરીવાલથી દૂર રાખ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 14 નવેમ્બર બાદ રાજભા ઝાલા આપમાંથી પોતાના સમર્થકો સાથે રાજીનામું આપી શકે છે. જો રાજભા ઝાલા આપનો છેડો ફાડી દેશે તો સૌરાષ્ટ્ર આપમાં મોટું ભંગાણ પડી શકે છે.          




થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .