વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે મોરબી સિવિલ હોસ્પિટલને કરાયેલ રંગરોગાન પર રાજભા ગઢવીએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-11-04 15:01:39

રવિવારે મોરબીમાં બનેલી દુર્ઘટનાને કારણે આખું ગુજરાત શોકમાં ડૂબી ગયું હતું. અનેક લોકોએ પોતાનો પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. આ ઘટના બની તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે હતા. આ ઘટનાને લઈ તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું, ઉપરાંત સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત કરી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરી દેવામાં આવ્યું હતું. આ વાતની ટીકા અનેક લોકોએ કરી હતી. ત્યારે રાજભા ગઢવીએ પોતાના ડાયરામાં આ ઘટના અંગે વાત કરી હતી.

 

રાજભા ગઢવીએ મોરબી સિવિલ હોસ્પિટલને લઈ આપ્યું નિવેદન

રવિવારે મોરબીમાં એક દુર્ઘટના બની હતી જેણે સમગ્ર ગુજરાતને રડાવી દીધું હતું. રવિવારે બનેલી આ ઘટનામાં અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. મચ્છુ નદી પર આવેલા બ્રિજ તૂટી પડતા 400થી 500 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી અનેક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ ઘટનાને લઈ તેમણે વેદના પણ વ્યક્ત કરી હતી. 

ઉપરાંત મોરબીની પણ તેમણે મુલાકાત કરી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરી દેવામાં આવ્યું હતું. જેને કારણે અનેક લોકોએ આ વાતની ટીકા કરી હતી, પોતાના ડાયરા દરમિયાન લોક સાહિત્ય રાજભા ગઢવીએ પણ આ અંગેની વાત કરી હતી.

 

કોંગ્રેસે પણ આ વીડિયોને લઈ કર્યા કટાક્ષ  

રાજભા ગઢવીએ ડાયરામાં કહ્યું કે મોરબીમાં મોદી સાહેબ આવ્યાને તાત્કાલિક જે હોસ્પિટલમાં રંગરોગાન થઈનેએ માનવતા માટે, જનજીવન માટે અને ભારતીય સંસ્કૃતિ માટે કાળી ટીલી સમાન છે. કોંગ્રેસે પણ આ વીડિયોને ટ્વિટ કરી છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે સાહેબ લોકો સમજી ગયા છે તમે સંવેદનાના નામે માત્રને માત્ર ઢોંગ જ કરો છો. તમને જો સાચી વેદના હોત તો લોકોના મૃત્યુના શોકમાં હોસ્પિટલને સજાવતા નહીં.           



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.