Navratriને સેટિંગ કરવાનો તહેવાર કહેવા પર Urvashi Solanki પર ભડક્યા Rajbha Gadhvi! સાંભળો પ્રતિક્રિયા આપતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-23 12:44:49

નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આ નવ દિવસો દરમિયાન માની ઉપાસના કરીએ છીએ. આદ્યશક્તિની આરતીમાં બોલાતો એક એક શબ્દ ભક્તિમાં લીન કરે તેવો છે. જો શબ્દોના ભાવને નથી સમજી શક્તા તો આ વિષય પર ગંભીરતાથી વિચારવું પડશે. આ તહેવારોને વધારે લોકપ્રિય બનાવવા તેમજ લોકોમાં સમુહની ભાવના વધે તે માટે તેનાં મોટા આયોજનો થવા લાગ્યા. પછીધીરે ધીરે ગરબા જેમ લોકપ્રિય બનતા ગયા તેમ તેમ ગરબા કોમર્શિયલ થયા. આરાધના બાજુમાં મુકાઈ અને ડાન્સ ફેસ્ટીવલ બની ગયો. ગરબાની બદલીમાં ગીતો પર ડાન્સ થવા લાગ્યો... 

અલગ અલગ કલાકારોને નવરાત્રી પર્વ દરમિયાન બોલાવાય છે

અલગ અલગ સ્થળો પર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. મોટા મોટા કલાકારો, હસ્તીઓને આમંત્રિત કરવામાં આવે છે. ત્યારે નડીયાદમાં સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શક્તિ ઉત્સવ ગરબાનું આયોજન થયું. નવરાત્રીનું આયોજન સફળ બને તે માટે નવરાત્રીના નવ દિવસો દરમિયાન કોઈને કોઈ જાણીતા સિંગર કે એક્ટર એમાં બોલાવાય છે. નડીયાદમાં પણ કોઈક એક્ટ્રેસ અથવા મોડેલ નામે ઉર્વશી સોલંકીને બોલાવવામાં આવ્યા. યુવાનોમાં લોકપ્રિય થવાની ઘેલછામાં બેન જે બોલ્યા એ નવરાત્રીને શક્તિની ઉપાસના માનવા વાળા લોકો માટે સ્વિકાર્ય નહોતું.

સ્ટેજ પરથી કલાકારે આપ્યું હતું વિવાદિત નિવેદન  

પોતાના નિવેદનમાં ઉર્વશી સોલંકીએ કહ્યું હતું આપણાં ગરબા આખા વર્લ્ડમાં ફેમસ છે. અને ગુજરાતમાં કોઈ છોકરો છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઈન નહીં નવરાત્રીની રાહ જોઈએ છીએ. આ ચાર દિવસમાં કેટલા લોકોએ કીધું? નવ દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો તમે પાક્કું ગરબા જ રમ્યા છો. એવા બહુ બધા હશે જેમને નવ દિવસ સેટીંગ નહીં થાય અને આવતી નવરાત્રીની રાહ જોતા હશે.

નવરાત્રી સેટિંગ કરવાનો સમય નથી... 

નવરાત્રી એ સેટીંગ કરવાનો સમય છે એવું આપણે કેમ આ યુવાનોના મનમાં ઠસાવવા માગીએ છીએ. ટીમલી પર કે ડાકલા પર કે પછી પરી હું મૈં પર નાચતા લોકો ભલે મજા કરતા પણ બાજુ વાળી છોકરી સાથે સેટીંગ કરવા માટે જ આ બધું થતું હોય તો એમને સમજાવવાની જગ્યાએ આમ પ્રમોટ કર્યા કરીએ એ તો ના ચાલે. કદાચ આ બેન એવું સમજતા હોય પણ એમને આયોજકોએ રોકવાની તસ્દી પણ કેમ નહીં લીધી હોય. કે પછી કમર્શીયલ થયેલા ગરબામાં ખાલી નામ જ માં અને શક્તિ જેવા અપાય છે બાકી આરાધનાને કોઈ લેવાદેવા નથી હોતા.

રાજભા ગઢવીએ આ વિવાદિત નિવેદન પર આપી પ્રતિક્રિયા 

આ નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો છે. લોકોની લાગણી દુભાઈ છે, કલાકારોએ આ નિવેદનનો વિરોધ કર્યો છે. રાજભા ગઢવી દ્વારા પણ આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોતાના નિવેદનમાં તેમણે સનાતન ધર્મ વિશે વાત કહી. ઉપરાંત ઉર્વશી સોલંકીને પણ સલાહ આપી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા દેવાંશી જોષીએ પણ આ વાત કહી હતી કે નવરાત્રી લવરાત્રી નથી. નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે તેનું મહત્વ શું છે તે જાણવું જરૂરી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!