રાજભા ગઢવીએ નિવેદનને લઈ માફી માગી પરંતુ ભાજપ-કોંગ્રેસ-આપના નેતાઓ અને આદિવાસીઓમાં રોષ યથાવત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-26 16:13:03

શબ્દ શબ્દ કહા કરો, શબ્દ કે હાથ ન પાંવ,

 એક શબ્દ ઓખડ કરે, એક શબ્દ કરે ઘાવ.

અર્થાત 

વાણીથી બોલ બોલ કરો છો પણ વિચારજો, કે જે આપણે વચનો બોલીયે છીયે તેને હાથ કે પગ નથી. છતાં એ વાણીમાં એવી શક્તિ રહેલી છે, કે અમુક રીતે વચનો બોલવાથી વૈદ ઓષડ આપે તેમ સામાને શાંતિ આપે છે. જ્યારે અમુક વચનો કોઈને ઘા માર્યો હોય તેટલું દુઃખ આપે છે. અને શબ્દો જ્યારે ઘા આપે ત્યારે ભારે ખરાબ પરિસ્થિતિ બોલનાર માટે સર્જાતી હોય છે આવુ જ કંઈક થયું છે લોક કલાકાર રાજભા ગઢવી સાથે... એ ડાંગના આદિવાસીઓ વિશે ટિપ્પણી કરીને હવે ફસાયા છે માફી માંગી છતાંય વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો...

એક કાર્યક્રમમાં રાજભા ગઢવીએ આપ્યું હતું નિવેદન જેનો થઈ રહ્યો છે વિરોધ!

જાણીતા લોકસાહિત્યકાર અને લોકકલાકાર રાજભા ગઢવી વિવાદમાં સપડાયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે એક લોકડાયરાના કાર્યક્રમમાં રાજભા ગઢવીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર હાલ રાજભા ગઢવીનો એક વીડિયો વાઇરલ થયો હતો.... વીડિયો લોકડાયરા કાર્યક્રમનો છે. આ વીડિયોમાં રાજભા ગઢવી કહેતા સંભળાય છે કે ગુજરાતના ડાંગ આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે... ભાજપના સાંસદ ધવલ પટેલ, અનંત પટેલ ,ચૈતર વસાવા સહિતના તમામ પક્ષના નેતાઓ અને આદિવાસી આગેવાનોએ ભારે વિરોધ કર્યો... જેના કારણે રાજભાએ માફી માંગી પણ વિરોધ છતાંય યથાવત છે... જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી રહી છે.... 



સાંસદ ધવલ પટેલે આપી પ્રતિક્રિયા

વલસાડ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે વિરોધ નોંધાવ્યો હતો.. રાજભાએ માફી માંગ્યા પછી પણ માધ્યમોમાં પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મે એમનો માફી માંગતો વીડિયો જોયો પણ મારા મતે તો માન્ય નથી જ.... આખા ગુજરાતમાં ક્રાઈમ રેટની સરખામણીએ ડાંગમાં સૌથી ઓછો ક્રાઈમ રેટ છે.... સાંસદ ધવલ પટેલે વધુમાં કહ્યું કે, અમારા માટે તો આ યોગ્ય નથી જ કેમ કે એમનું આ સ્ટેટમેન્ટ આવેશમાં આવીને કહેલું હોય એવું નથી પણ આ તો એકદમ આયોજનપૂર્વક તેમણે કહ્યું હતું. કોઈ વિસ્તારને સારો બતાવવા માટે અમારા વિસ્તારને ખરાબ બતાવવાની જરૂર નહોતી કેમ કે તેમના નિવેદનથી બિલકુલ વિપરીત છે. અમારું ડાંગ સુરક્ષિત અને શાંત છે. આદિવાસી લોકો સેવાભાવી અને આવકારવાવાળા લોકો છે એટલા માટે જ અમે તેમની પાસેથી માફી મંગાવી છે.અમારી નારાજગી હજી પણ યથાવત છે. તેમણે જણાવ્યું કે, આ સ્ટેટમેન્ટને લઈને આવનારા દિવસોમાં હું અમારા આદિવાસી સમાજના લોકોને મળવાનો છું. તેમણે જે માફી માંગી છે એ અંગે અમારા સમાજના લોકો શું માને છે એ અંગે ચર્ચા કરીશું એ પછી આગળની આખી રણનીતિ નક્કી કરીશું.


કુંવરજી હળપતિએ ઉચ્ચારી ચીમકી કે.... 

તો માંડવી વિધાનસભાના ધારાસભ્ય તેમજ આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિએ  ચીમકી આપતા કહ્યું કે, જો રાજભા ગઢવી ભવિષ્યમાં આદિવાસી સમાજ વિશે કશું બોલશે તો સાંખી નહીં લેવાય.... જો આવનારા સમયમાં આવા કોઈ પણ નિવેદન આપવામાં આવશે તો ઉમરગામથી લઈને અંબાજીનો જે પટ્ટો છે ત્યાં તેમનો પ્રોગ્રામ નહીં થવા દઈએ.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



રાજકોટની 10 હોટલને ધમકી ભર્યા મેલ મળ્યા છે.. આ 10 હોટલમાંથી અનેક એવી હોટલો છે જ્યાં સ્ટાર્સ રહેવા આવે છે.. ફાઈવ સ્ટાર હોટલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે..

રાજભા ગઢવીએ એક કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે.. અનેક રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી. રાજભા ગઢવીએ માફી પણ માગી પરંતુ આ વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો તેવું લાગે છે..

વાવ બેઠકની પેટા ચૂંટણીને લઈ ઉમેદવાર ભાજપ તેમજ કોંગ્રેેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.. કોંગ્રેસ ગુલાબસિંહને ટિકીટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપી છે.

વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે.