Rajasthan: વસુંધરા રાજેએ 1 વર્ષ માટે માંગ્યુ CM પદ, BJPએ કર્યો ઈન્કાર, જાણો શા માટે માગ ફગાવી


  • Published By :
  • Published Date : 2023-12-11 16:59:10

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે, શિસ્તબધ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓને પણ મુશ્કેલીઓ ઘટતી હોય તેવી શક્યતા દેખાતી નથી. ભાજપના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ પણ વસુંધરા રાજે તેમની માગ છોડવા તૈયાર નથી. જેના કારણે ભાજપના ટોચના નેતાઓની ચિંતા વધી રહી છે. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વસુંધરા રાજેને રવિવારે ફોન કર્યો હતો. તે વખતે તેમણે સલાહ આપી હતી કે તેઓ ધારાસભ્યો સાથે અલગ-અલગ મિટિંગો ના કરે. મુખ્યમંત્રી પદ માટેનો નિર્ણય પાર્ટીના ટોચના નેતાઓ પર છોડી દે. 


વસુંધરા  CM પદની માગને લઈ અડગ


રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકે બે વખત રહેલા વસુંધરા રાજે  આ વખતે પણ કોઈ હિસાબે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર નથી. વસુંધરા રાજે પાર્ટી પાસે માત્ર એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે. જો કે ભાજપ આ વખતે તેમની કોઈ માગ સ્વિકારવા તૈયાર નથી. સીએમ પદ માટે અડધો ડઝન નેતાઓ દાવો કરી રહ્યા છે. જેમાં દીયા કુમારી, કિરોડીલાલ મીણા, ગજેન્દ્રસિંહ શેખાવત, ઓમ માથુર, અશ્વીની વૈષ્ણવ અને બાબા બાલકનાથનો સમાવેશ થાય છે. 


વિધાનસભા સ્પિકર બનવાનો કર્યો ઈન્કાર


ભાજપનું ટોચના નેતૃત્વએ વસુંધરા રાજેને વિધાનસભા સ્પિકર પદની ઓફર કરી છે, જો કે વસુંધરા રાજેએ તે ઓફર ફગાવી દીધી છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ તેઓ સ્પિકર બનવા માંગતી નથી, તેમણે પાર્ટી નેતૃત્વને સ્પષ્ટ જણાવી દીધું છે કે તેમને મુખ્યમંત્રી પદથી ઓછું કાંઈ ખપતું નથી.


શા માટે ભાજપ ઓફર ફગાવી રહી છે?


રાજસ્થાનમાં ભાજપનું કોકડું ગુંચવાઈ રહ્યું છે, વસુંધરા રાજે પાર્ટી પાસે એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે. જો કે પાર્ટી તેમની આ માગ કોઈ પણ હિસાબે સ્વિકારવા તૈયાર નથી. હવે સવાલ એ છે કે શા માટે ભાજપ વસુંધરાને મુખ્યમંત્રી બનાવવાનો ઈન્કાર કરી રહી છે? સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપ રાજસ્થાનની તમામ સીટો જીતવા માગે છે. હવે જો પાર્ટી વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવે તો પાર્ટીને નુકસાન થાય તેમ છે કારણ કે વસુંધરા રાજે રાજ્યમાં લોકપ્રિયતા ગુમાવી ચુક્યા છે, અને તેમના પ્રત્યે લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આ સ્થિતીમાં પાર્ટી તેમને સીએમ બનાવે તો ભાજપને લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત નુકસાનની શક્યતા છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.