રાજસ્થાન રાજકારણ: વિવાદ શાંત કરવા મલ્લિકાર્જુન ખડગે કરશે અશોક ગેહલોત અને સચિન પાયલોટ સાથે બેઠક! અલ્ટિમેટમ બાદ થઈ રહી છે બેઠક !


  • Published By :
  • Published Date : 2023-05-29 11:37:30

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલું આંતરિક ઘમાસાણ જગ જાહેર છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદનો અંત કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે તેવું લાગી રહ્યું છે. મળતી  માહિતી અનુસાર ચાલતા વિવાદ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરવાના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સચિન પાયલોટે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.

  

મલ્લિકાર્જુન ખડગે કરશે નેતાઓ સાથે બેઠક!

સચિન પાયલોટે પોતાની સરકાર સામે બાયો ચઢાવી છે. છેલ્લા ઘણા સમયથી સચિન પાયલોટ પોતાની સરકાર વિરૂદ્ધ કોઈ વખત ધરણા કરે છે તો કોઈ વખત પ્રેસ કોન્ફરન્સ કરે છે. સચિન પાયલોટની માગ છે કે વસુંધરા રાજે સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત કૌભાંડની તપાસ કરવામાં આવે. ઉચ્ચ સ્તરિય તપાસ કરવામાં આવે તેવી માગ છે. આ મામલે સરકારને તેમણે અલ્ટિમેટમ આપ્યું છે. બંને નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. 


બેઠક બાદ શાંત થશે વિવાદ! 

મળતી માહિતી અનુસાર મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે બેઠક કરી શકે છે. પહેલા 26મેના રોજ બેઠક કરવાના હતા પરંતુ હવે આજે નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી શકે છે. આ બેઠક એ વખતે થઈ રહી છે ત્યારે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો સચિન પાયલોટ દ્વારા આપવામાં આવે માગ નહીં સ્વીકારવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલનો કરવામાં આવશે. ત્યારે જોવાનું એ રહ્યું કે મલ્લિકાર્જુન ખડગેની બેઠક બાદ બંને નેતાઓ સાથે આવે છે કે નહીં.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.