Rajasthan: વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને સ્કૂલ પહોંચી તો શિક્ષકે ઘરે મોકલી, વાલીઓએ પ્રિન્સિપાલનો ઘેરાવ કર્યો


  • Published By :
  • Published Date : 2024-02-18 13:01:21

રાજસ્થાનના જોધપુર જિલ્લાના પિપર કસબામાં આવેલી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં, શિક્ષકોએ હિજાબ જેવા સ્કાર્ફ પહેરીને શાળામાં આવતી દસથી વધુ મુસ્લિમ છોકરીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. આના પર પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓના માતા-પિતાને બોલાવ્યા અને તેમને પેરેન્ટ્સને સાથે લાવવાનું કહીંને ઘરે મોકલી દીધી હતી. બાદમાં શાળાએ પહોંચેલા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.


શું છે સમગ્ર મામલો?


આ સમગ્ર માલે માહિતી આપતાં પ્રિન્સિપાલ રામકિશોર સાંખલાએ જણાવ્યું હતું કે, છોકરીઓ તેમના માથા અને ચહેરાને અન્ય કપડાથી ઢાંકીને શાળામાં આવી હતી, આ માટે તેમને આવું કરવાની મનાઈ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા નિર્ધારિત યુનિફોર્મમાં જ શાળામાં આવવાની મંજૂરી છે. જો તમારે માથું ઢાંકીને આવવું હોય તો યુનિફોર્મની ચુન્નીનો ઉપયોગ કરી શકાય છે. વાલીઓ સાથેની વાતચીતમાં પણ આ જ નિર્ણય લેવાયો હતો. તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.


વાલીઓએ શું કહ્યું?

 

આ બાબતે પેરેન્ટ્સનું કહેવું છે કે બાળકો હિજાબ પહેરતા નથી પરંતુ મોઢું ઢાંકે છે. હકીકતમાં, શાળામાં ઘણી છોકરીઓ યુનિફોર્મ ઉપરાંત તેમના માથા અને ચહેરાને ઢાંકવા માટે હિજાબ જેવા કપડાનો ઉપયોગ કરતી હતી, જેના માટે તેમને અટકાવવામાં આવી હતી. માતા-પિતા કહે છે કે મોં ઢાંકવું એ માસ્ક પહેરવા જેવું છે. છોકરીઓ જે પહેરે છે તે હિજાબ નથી. માતાપિતાએ એક શિક્ષક પર છોકરીઓને ચંબલની ડાકુ કહેવાનો પણ આરોપ લગાવ્યો હતો. ગણપતિ સ્ક્વેર ખાતે આવેલી આ સરકારી શાળામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 90 ટકા લઘુમતી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે