Rajasthan Election : રાજનીતિથી સન્યાસ લેશે Vasundhara Raje! જનસભા દરમિયાન તેમણે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-04 17:58:00

થોડા સમય બાદ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચોજાવાની છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ તેમજ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી છે અને તે બાદ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર જોરોશોરથી કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજનેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ભાજપનો પ્રચાર ખુદ પીએમ મોદી કરી રહ્યા છે. હજી સુધી એવું માનવામાં આવતું હતું કે રાજસ્થાનના સીએમ ફેસ તરીકે વસુંધરા રાજેની પસંદગી થઈ શકે છે પરંતુ તેમણે જનસભામાં નિવેદન આપ્યું છે તેનાથી રાજકીય વર્તુળમાં ચર્ચાઓ થવા લાગી કે વસુંધરા રાજે રાજનીતિમાંથી સન્યાસ લઈ શકે છે. 


રાજ્યોમાં જોરશોરથી ચાલતો ચૂંટણી પ્રચાર  

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી 25 નવેમ્બરના રોજ યોજાવાની છે. 200 જેટલી વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, પીએમ મોદી ખુદ ચૂંટણીવાળા રાજ્યોમાં પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ચહેરા તરીકે વસુંધરા રાજેને જોવામાં આવી રહ્યા હતા. પરંતુ ગઈકાલે રાજસ્થાનમાં રેલીમાં તેમણે સન્યાસ લેવાની વાત કહી હતી. 


નિવૃત્તિની વાત કરતા શું કહ્યું વસુંધરા રાજેએ?

વસુંધરા રાજેએ પોતાના દીકરા દુષ્યંત સિંહના ભાષણ બાદ રેલીને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મારા પુત્રની વાત સાંભળીને મને લાહે છે કે મારે હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. તમે બધાએ તેને એટલી સારી રીતે તાલીમ આપી છે કે મારે તેને આગળ ધકેલવાની જરૂર નથી. રાજેના આ નિવેદન બાદ રાજકીય વર્તુળમાં વાતો શરૂ થઈ ગઈ કે વસુંધરા રાજે રાજનીતિમાંથી સન્યાસ લઈ શકે છે. વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ ઝાલાવાડ-બારણ લોકસભા સીટથી સાંસદ છે.  


ભાજપને સત્તા પર લાવવા માટે વસુંધરા રાજેએ કર્યું આહ્વાહન!

મહત્વનું છે કે રાજસ્થાન માટે ભાજપે મુખ્યમંત્રીના ચહેરાના નામની જાહેરાત નથી કરી. છેલ્લા ઘણા સમયથી માગ થઈ રહી હતી કે વસુંધરા રાજેના પુત્રને મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર કરવામાં આવે તેવી માગ સતત  થઈ રહી છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર આવે તે માટે પણ વસુંધરા રાજેએ આહ્વાહન કર્યું હતું કે કોંગ્રેસ સરકારમાં ઘણો ભ્રષ્ટાચાર હતો, પ્રશ્નપત્રો લીક થયા. જો રાજસ્થાનને ફરીથી દેશનું નંબર વન રાજ્ય બનાવવું હોય તો ભાજપને સત્તામાં લાવવી પડશે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.