રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતમાં કરશે કોંગ્રેસનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-05 17:10:57

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પોતાની રણનીતિ સાથે આગળ વધી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. આપે અનેક વખત ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કર્યું છે. ત્યારે ભાજપે હજી સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી આવતી કાલે ગુજરાત આવી રહ્યા છે. આવતી કાલથી તેઓ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

 ગુજરાત ગજવવા નેતાઓ તૈયાર! રાજસ્થાનના CM અશોક ગેહલોત રાજ્યમાં ગજવશે બે દિવસમાં 6 સભા, જાણો કાર્યક્રમ

પરિવર્તન સંકલ્પ યાત્રામાં  લેશે ભાગ 

ચૂંટણીની તારીખ જાહેર થતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી પોતે ગુજરાત આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા અશોક ગેહલોત ગુજરાત આવવાના છે. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અનેક જનસભાને સંબોધવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ 6 રેલીઓ સંબોધવાના છે. રાજકોટ ખાતે ગેહલોત એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેઓ ભાવનગર પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભાગ લેવાના છે. સોમવારના રોજ તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસે જશે જ્યાં આકવાલ ખાતે સભામાં સંબોધન કરશે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.