Rajasthan Bus Accident: પુલની રેલિંગ તોડી રેલવે ટ્રેક પર પછડાઈ બસ, દુર્ઘટનામાં ગઈ આટલી જીંદગી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-06 09:41:35

રાજસ્થાનમાં ભીષણ અકસ્માત સર્જાયો છે જેમા અંદાજીત 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત નેશનલ હાઈવે-21 પર સર્જાયો છે. પેસેન્જરોને લઈ જઈ રહેલી બસ અનિયમિત થઈ ગઈ અને પુલનું રેલિંગ તોડી રેલવે ટ્રેક પર જઈને ઉંધી પડી. આ અકસ્માતને પગલે ટ્રેનની અવરજવર પર અસર પડી છે.  

બ્રિજને તોડી રેલવે ટ્રેક પર પહોંચી બસ!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગ સાઈડ હોવાને કારણે ભીષણ રોડ અકસ્માત સર્જાતા હોય છે. કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાતા અકસ્માત સર્જાયા હોય છે. ત્યારે આવો જ એક ભીષણ રોડ અકસ્માત રાજસ્થાનમાં સર્જાયો છે. નેશનલ હાઈવે 21 પર મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો છે અને આ દુર્ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


જો ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ હોત તો સર્જાતો ભીષણ અકસ્માત!

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવાર રાત્રે સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. હરિદ્વારથી જયપુર તરફ બસ જઈ રહી હતી. આ ઘટનામાં સારી વાત એ હતી કે જ્યારે ટ્રેક પર બસ પલટીને પડી હતી તે દરમિયાન કોઈ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી ન હતી. જે એ વખતે ટ્રેન પસાર થઈ રહી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.  



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..