રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખમાં થયો ફેરફાર, રાજ્યમાં 25 નવેમ્બરે એક જ તબક્કામાં થશે મતદાન


  • Published By :
  • Published Date : 2023-10-11 18:07:54

ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી, જો કે હવે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખ બદલવામાં આવી છે. પહેલા 23 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી થવાની હતી પરંતુ હવે તારીખ બદલીને 25 નવેમ્બરે આ ચૂંટણી થશે. જો કે મતદાન એક જ તબક્કામાં થશે. ચૂંટણીનું પરિણામ પણ 3 ડિસેમ્બરે જ આવશે. 


શા માટે ફેરફાર કરાયો?

 

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં ફેરફારનો મુખ્ય કારણ પૈકીનું એક તે  જ દિવસે એટલે કે 23 નવેમ્બરે દેવઉઠી એકાદશી છે. આ કારણે મોટી સંખ્યામાં વિવાહ સમારંભ અને માંગલિક તેમજ ધાર્મિક ઉત્સવ હોય છે જેથી મતદાન પર વિપરીત અસર થઈ શકે છે વળી લોકોને પણ અસુવિધા થશે. વાહનોની કટોકટી પણ જોવા મળશે જેની અસર વોટિંગ પર પડી શકે છે. આ કારણે રાજ્યના ઘણાં સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક સંગઠનોએ પોતાના પ્રતિનિધિત્વની મદદથી ચૂંટણી પંચને આ તારીખે મતદાન ટાળવાની વિનંતી કરી હતી. ચૂંટણી પંચે તે વાત પર વિચાર કર્યો અને મતદાનની તારીખમાં ફેરફાર કરતા હવે મતદાન 23 નવેમ્બરની જગ્યાએ 25 નવેમ્બરે શનિવારે સમગ્ર રાજ્યમાં મતદાન થશે.


આ પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી 


પાંચ રાજ્યોની 679 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખ 9 ઓક્ટોબરે જાહેર કરાઈ હતી. તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાના, છત્તીસગઢ અને મિઝોરમ તે રાજ્ય છે જ્યાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. મધ્યપ્રદેશની 230, રાજસ્થાનની 200, તેલંગાનાની 119, છત્તીસગઢની 90 અને મિઝોરમની 40 વિધાનસભા બેઠક પર ચૂંટણી થશે. ઉલ્લેખનિય છે કે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટ સત્તા પર છે. જ્યારે તેલંગાનામાં BRSનું શાસન છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી જાહેરાત સાથે જ આ રાજ્યોમાં પ્રયાર અભિયાનનો પ્રારંભ શરુ થઈ ગયો છે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.