રાજ્યમાં બે દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, કમોસમી વરસાદ થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો


  • Published By :
  • Published Date : 2022-12-15 08:49:07

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એક તરફ શિયાળાને કારણે ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ બંગાળની ખાળીમાં લો-પ્રેશર સર્જાતા રાજ્યમાં ભરેશિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદ થતા વાતાવરણમાં આવ્યો પલટો

પોતાનો પાક સફળ જાય અને સારૂ વળતર મળે તે માટે ખેડૂતો ખૂબ મહેનત કરતા હોય છે. પોતાનું સર્વસ્વ ખેતી પાછળ લગાવી દેતા હોય છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. ગઈ કાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા લોકો સ્વેટર લઈને બહાર નીકળે કે પછી રેઈનકોર્ટ લઈને બહાર નિકળે તેને લઈ અસમંજસમાં છે. 


આજે પણ કરાઈ વરસાદની આગાહી 

બંગાળની ખાડીમાં જ્યારે પણ સિસ્ટમ સક્રિય થાય છે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. આ વખતે માગશર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં સાંજના સમયે વરસાદના છાંટા આવ્યા હતા. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદનો અનુભવ થયો હતો.


શિયાળું પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ડર  

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી. ત્યારે કમોસમી વરસાદને લઈ હવામાને આગાહી કરી છે કે હજી એક-બે દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આવા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. શિયાળો પાક નિષ્ફળ જવાની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું તે અંગેનો રિપોર્ટ કૃષિમંત્રીએ મંગાવ્યો છે. તાત્કાલિક તપાસ કરીને આ રિપોર્ટ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.