Himachal Pradesh અને Uttrakhandમાં વરસાદે મચાવી તબાહી, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક ફાટ્યું વાદળ, જુઓ વિનાશકારી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-17 11:10:10

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે, જ્યારે અનેક લોકો આ તબાહીમાં ભોગ લેવાયા છે. વરસાદનો કહેર સતત જોવા મળી રહ્યો છે. અનેક દિવસોથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિવમંદિરનો કાટમાળ તૂટી પડ્યો હતો. આ કાટમાળ તૂટી પડવાને કારણે તેની નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. મૃતદેહો બહાર કાઢવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે પણ અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.   

હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે થયું મોટું નુકસાન  

હિમાચલ પ્રદેશમાં તો સ્થિતિ ખરાબ છે પરંતુ તેની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. ત્યાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બંને રાજ્યોમાં ભૂસ્ખલન તેમજ વાદળો ફાટવાની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓમાં લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર બંને રાજ્યોના કુલ મળીને 80 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે આવનારા 24 કલાક વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


ભૂસ્ખલનને કારણે થયા છે અનેક લોકોના થયા છે મોત 

મહત્વનું છે કે સેનાના જવાન દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકો ફસાયા છે તેમને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યા છે. સેના તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. ભૂસ્ખલન થવાને કારણે સંપત્તિને નુકસાન થાય છે પરંતુ લોકોના જીવ પણ જાય છે. કુદરતી આફતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહત્વનું છે કે જ્યારે જ્યારે ચોમાસાની સિઝન આવે છે ત્યારે ત્યારે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવું તેમજ વાદળ ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ  ઘટનાને કુદરતી આફત ગણવી કે માનવસર્જિત ગણવી તે તમારી ઉપર છે. ક્લાઈમેટ ચેન્જ આપણા દ્વારા કરવામાં આવતા વિકાસને કારણે થઈ રહ્યા છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.