Gujaratમાં વરસાદે મચાવી તબાહી, લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવા માટે લેવાઈ સેનાની મદદ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 16:56:17

જ્યારે કોઈ કુદરતી આપદા આવતી હોય છે ત્યારે સેનાના જવાનો દેવદૂત બની લોકોના જીવ બચાવતા આપણને દેખાય છે. કેવી પણ વિષમ પરિસ્થિતિ કેમ ન હોય લોકોને બચાવવા માટે આર્મી જવાન પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે. ત્યારે ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. સેનાના જવાનની મદદથી અનેક લોકોનું દિલધકડ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 

કુદરતી આફત દરમિયાન પણ મદદરૂપ થાય છે સેનાના જવાન 

કહેવાય છે કે કુદરત આગળ માણસ લાચાર છે. કુદરતી આપદાઓ જ્યારે જ્યારે દેશ પર આવી છે ત્યારે ત્યારે દેશના જવાનો ખડેપગે, સેવા માટે તત્પર દેખાય છે. ભૂકંપ આવ્યો હોય, પૂર આવ્યું હોય કે નાના બાળકને ખાડામાંથી બહાર કાઢવાનો હોય ત્યારે ત્યારે સેનાના જવાનો તેમજ પોલીસ દેવદૂત સાબિત થયા છે. લોકોના જીવ સુરક્ષિત રહે તે માટે તેઓ પોતાના જીવને જોખમમાં નાખતા હોય છે. અનેક એવા કિસ્સાઓ હોય છે જેમાં કુદરતી આપદા સામે માણસ હારી જાય છે ત્યારે સેનાના જવાન મદદ માટે આગળ આવે છે. સેનાના જવાન સીમા પર તૈનાત રહી દેશની. દેશવાસીઓની રક્ષા તો કરે છે પરંતુ જ્યારે કોઈ પણ જગ્યા પર કુદરતી આફત આવે છે ત્યારે સેનાના જવાનો મદદ માટે આગળ આવે છે. 


ગુજરાતના મુખ્યમંત્રીએ વીડિયો કર્યો શેર 

હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે ગુજરાતની અનેક નદીઓ ગાંડીતૂર બની છે, બે કાંઠે વહી રહી છે. ડેમમાં જળસપાટી સતત વધતી જઈ રહી છે. અનેક તાલુકાઓ એવા છે જ્યાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યા છે. નદીઓમાં નવા નીર આવતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. અનેક ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં સેનાના જવાન દિલધડક રેસ્ક્યુ કરી રહ્યા છે. કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. સેનાના જવાનોને શત શત નમન....   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.