16 એપ્રિલ સુધી આ જિલ્લાઓ માટે કરાઈ માવઠાની આગાહી, ગરમીથી રાહત મળશે પરંતુ ખેડૂતોની વધી ચિંતા!


  • Published By :
  • Published Date : 2024-04-12 11:48:58

રાજ્યના અનેક ભાગોમાં આકાશમાંથી આગ વરસી રહી હોય તેવી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો અનેક ભાગો એવા છે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે. અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈકાલે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે માવઠું

કાળઝાળ ગરમીનો અહેસાસ થોડા દિવસોથી રાજ્યમાં થઈ રહ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો પરંતુ આ બધા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને  કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં પલટો આવે છે જેની સીધી અસર ખેડૂતો પર પડતી હોય છે. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે. મહેનતથી પકવેલા પાક પર પાણી ભરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ક્યારે ક્યાં વરસશે વરસાદ? 

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે જ્યારે અરવલ્લી અને ભરુચમાં પણ વરસાદ આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. 14 એપ્રિલ માટે કરેલી આગાહી અનુસાર નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદની શક્યતાઓ છે. અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં પણ આ તારીખ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબારકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં 15 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. 16 એપ્રિલે પણ અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે હમણાં ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.  


હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે માવઠાની આગાહી 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત તો લોકોને મળશે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. ખેડૂતોએ મહેનતથી પકવેલા પાક પર વરસાદી પાણી ફરી વળે છે.. કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદની આગાહી ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીએ માવઠાને લઈ આગાહી કરી છે.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.