Narmada Damમાંથી પાણી છોડાતા અનેક ગામોમાં ભરાયા પાણી,છવાયો અંધારપટ! ShaktiSinh Gohilએ ભાજપ પર કર્યા ગંભીર આરોપ, સાંભળો....


  • Published By :
  • Published Date : 2023-09-18 14:57:57

ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. માત્ર થોડા દિવસોમાં વરસેલા વરસાદે ગુજરાતના અનેક જિલ્લામાં તબાહી મચાવી છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જળસપાટીમાં વધારો થવાને કારણે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા , ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગઈ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 158 જેટલા ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અનેક ગામોમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.

 

પીએમ મોદીના જન્મદિવસ પર છોડાયું પાણી!

ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીમાં નવા નીરની આવક થઈ રહી છે. નદીમાં નવા નીરની આવક થતાં ડેમનું જળસ્તર વધ્યું છે. ગઈકાલે પીએમ મોદીનો જન્મ દિવસ હતો. મુખ્યમંત્રીએ નવા નીરના વધામણ કર્યા હતા. ત્યારે અચાનક ડેમમાંથી આટલું બધુ પાણી છોડવામાં આવતા અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓમાં તો પાણી વહી રહ્યું છે પરંતુ એક સાથે આટલું બધું પાણી છોડાવવાને કારણે રસ્તાઓ પર પાણી વહી રહ્યા હતા. રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે અચાનક પાણી પીએમ મોદીના જન્મદિવસ પર છોડવામાં આવતા રાજકારણ ગરમાયું છે.


કોંગ્રેસે ભાજપની સરકાર પર લગાવ્યા આરોપ 

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. સરદાર સરોવરમાં 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે. એક સાથે આટલું બધુ પાણી છોડવામાં આવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે. 

જન્મદિવસની ઉજવણી માટે સરદાર સરોવર ડેમમાં પાણી છોડાયું 

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર સરોવર ડેમને છલોછલ ભરવામાં આવ્યો છે. ઉજવણીના ભાગરૂપે એક સાથે પાણી છોડાતા આસપાસના ગામડીની જમીનો ધોવાઈ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ભાજપની આ નૌટંકી સરકારે વડાપ્રધાનને વ્હાલા થવા માટે આ પગલું લીધું હતું. તેના કારણે નર્મદા અને આસપાસના વિસ્તારોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.  


અનેક જિલ્લાઓ માટે કરાયું છે એલર્ટ જાહેર   

મહત્વનું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ થવાને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોઈ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!