દેશના આ રાજ્યોમાં વરસાદે બગાડી પરિસ્થિતિ, આ રાજ્યમાં ફાટ્યું આભ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-17 11:30:12

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદ અનેક લોકો માટે જીવલેણ સાબિત થયો છે. ત્યારે ઉત્તર ભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. થોડા વર્ષો પહેલા જે પરિસ્થિતિ ઉત્તરાખંડની હતી તેવી પરિસ્થિતિ હાલ અનેક રાજ્યોની થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે  અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું થયું મોત 

ઉત્તરભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. થોડા સમય પહેલા જે હાલ હિમાચલ પ્રદેશના હતા તેવા હાલ દિલ્હીના જોવા મળી રહ્યા છે. રાજઘાટ, સુપ્રીમ કોર્ટના રસ્તાઓ સુધી વરસાદી પાણી ઘૂસી આવ્યા હતા. યમુનાનદીનું જળસ્તર પણ સતત વધતું જતું હતું. દિલ્હીમાં ખરાબ થતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સેનાની મદદ પણ લેવામાં આવશે તેવી વાત કહી હતી. ત્યારે આજે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું છે જેને લઈ એક વ્યક્તિનું મોત થયું છે. 


આસામમાં થયું પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ

ન માત્ર હિમાચલ પ્રદેશમાં પરંતુ પુર જેવી પરિસ્થિતિ આસામમાં પણ થઈ છે. પૂરને કારણે આસામના લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લાખો લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે. પૂરને કારણે અનેક ગામડાઓ ડૂબી ગયા છે. લોકો પાસે નથી તો ઘર નથી તો ખાવા માટે ભોજન. મહત્વનું છે કે વરસાદને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક લોકો ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે અનેક લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.