રાજ્યમાં ફરી માવઠાની આગાહી, 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં જળબંબાકાર


  • Published By :
  • Published Date : 2023-05-28 22:10:39

કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે. તા 28 અને 29મી મેના રોજ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તેમજ  કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે.  


ક્યા પડશે વરસાદ?


સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. તા 28 અને 29મી મેના રોજ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. 28મી તારીખે અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, પાટણ, મહેસાણા, ભરૂચ, આણંદ, અમરેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. 30મી મેના રોજ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. આ દિવસે બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને  કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  


પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો


હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.   બપોર બાદ એકા-એક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. હારીજમાં ફરી એકવાર કમોસમી માવઠાની શરૂઆત થઈ છે. હારીજ, કુકરાણા,બોરતવાડા, સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે.   ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે.  


ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ


ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદની શરુઆત થઈ છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાણોદર, ભંડારીયા, તણસા  સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સિંહોર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે.


અમદાવાદમાં જળબંબાકાર


આજે દિવસભરના ભારે ઉકળાટ વચ્ચે આજે મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.આજે સાંજે 5 વાગ્યાની આસપાસ અચાનક વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તોફાની પવન સાથે વરસેલા વરસાદના પગલે શહેરમાં ઠેર-ઠેર વૃક્ષ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. આજે શહેરના ચાંદખેડા, મોટેરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, નવા વાડજ, રાણિપ, રાયપુર, પાલડી, વસ્ત્રાપુર, એસજી હાઈવે અને બોપલ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આજે ભારે વરસાદના પગલે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકો રસ્તામાં અટવાયા હતા.





થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!