વાવાઝોડાને કારણે વરસાદ ગુજરાતને ધમરોળશે? જાણો કયાં વરસી શકે છે ધોધમાર વરસાદ અને ક્યાં આવશે હળવો વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-14 12:29:29

રાજ્યમાં ચોમાસાને આવવાની વાર છે. પરંતુ હાલ બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. બિપોરજોયને પગલે રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ શકે છે જેને કારણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 



વાવાઝોડાને પહલે આ જિલ્લાઓમાં વરસી શકે છે ભારે વરસાદ!

બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓમાં તેજ હવાઓ વહી રહી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે કચ્છ, જૂનાગઢ, પોરબંદર તેમજ દ્વારકામાં અતિભારે વરસાદ વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે.  


ક્યાં વરસ્યો હતો ગઈકાલે વરસાદ?

ગઈકાલે વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતના 95 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે દ્વારકાના ખંભાળિયામાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉપલેટા, જામજોધપુરમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય જૂનાગઢ તેમજ પોરબંદરમાં બે ઈંચનો વરસાદ નોંધાયો હતો.  


અમદાવાદમાં આ તારીખે થશે વરસાદ! 

આગાહી પ્રમાણે 15 જૂન એટલે આવતી કાલે કચ્છના નલિયા, જખૌ, માંડવી, ગાંધીધામમાં અતિભારે વરસાદ વરસી શકે છે. પવનની ગતિ પણ 100 કિલોમીટરથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 15,16 તેમજ 17 જૂનના રોજ વરસાદ વરસી શકે છે. તે સિવાય ગીર સોમનાથ, જામનગર સહિત રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!