ઉજ્જૈનના મહાકાલ લોકમાં સ્થાપિત મૂર્તિઓને વરસાદે પહોંચાડ્યું નુકસાન! કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-29 10:17:44

મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો જેને કારણે અનેક વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ લોકની 6 મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે. મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થતાં રાજકારણ ગરમાયું છે. આ મામલે પૂર્વમુખ્યમંત્રી તેમજ કમલનાથે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે અને આ મામલે કડક તપાસ કરવામાં  આવે તેવી માગ કરી છે.


શિવરાજસિંહ ચૌહાણ પર સાધ્યું નિશાન!        

11 ઓક્ટોબર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં 'મહાકાલ લોક'નું લોકાર્પણ કર્યું હતું. પરંતુ રવિવારે આવેલા વરસાદને કારણે મહાકાલ લોક પરિસરમાં આવેલી અનેક મૂર્તિઓને નુકસાન પહોંચ્યું હતું. મહાકાલ લોકમાં સ્થાપિત કરવામાં આવેલી 6 મૂર્તિઓ ઉડી ગઈ હતી જેને કારણે ખંડિત થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર સપ્ત ઋષિયોની મૂર્તિ સંપૂર્ણ રીતે ખંડિત થઈ ગઈ છે. ઉજ્જૈનના કલેક્ટર દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે  આ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવામાં  આવી રહ્યા છે. આ અંગેની જાણકારી મળતા કલેક્ટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ મામલે રિપોર્ટ માગ્યો છે. 


કમલનાથે સરકાર પર કર્યા પ્રહાર!

આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ભષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તે સિવાય કમલનાથે પણ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મહાકાલ લોકના નિર્માણ અંગે તપાસ થવી જોઈએ. તે સિવાય ક્ષતિગ્રસ્ત થયેલી મૂર્તિને ઠીક કરી  ફરી સ્થાપિત કરવામાં આવે.      

      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.