હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદ પડવાની આગાહી કરી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 16:34:31

કોરોનાના 2 વર્ષ બાદ આ વખતે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસુ 11-13 ઓક્ટોબર વચ્ચે વિદાય લઈ શકે છે. ત્યારે નવરાત્રીમાં વરસાદને કારણે આ વર્ષે ગરબાના આનંદમાં ભંગ પડી શકે છે.

ગરબા રમવા ખેલૈયાઓ તૈયાર

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. નવરાત્રીના અનેક મહિનાઓ પહેલા ખેલૈયાઓ તૈયારીમાં લાગી જતા હોય છે. ગરબાની પ્રેક્ટિસ કરવાથી લઈ કપડા સુધીની તૈયારી ખેલૈયાઓ કરી લીધી છે. ત્યારે આ વર્ષે ગરબાને કારણે ખેલૈયાના રંગમાં ભંગ ન પડે તે માટે ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા છે. 

Historical Dance | Indian festivals, Navratri, Navratri garba

નવરાત્રી બગાડી શકે છે વરસાદ

આ વર્ષે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવા અમદાવાદીઓ તૈયાર છે. છેલ્લા 2 વર્ષથી ગરબે ધૂમવા ન મળતા આ વર્ષે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વર્ષે ગરબા રમવા મળશે કે નહીં એ તો વરસાદ પર નિર્ભર છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.