રાહુલ ગાંધી આજે વાયનાડની લેશે મુલાકાત, સાંસદ પદ રદ્દ થયા બાદ પહેલી વખત જશે વાયનાડ


  • Published By :
  • Published Date : 2023-04-11 09:28:19

રાહુલ ગાંધી આજે વાયનાડની મુલાકાત લેવાના છે. સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી પહેલી વખત વાયનાડ જવાના છે. વાયનાડ ખાતે રાહુલ ગાંધી રેલી કરવાના છે ઉપરાંત જનસભા પણ સંબોધવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમની સંસદ સદસ્યતા રદ્દ થઈ હતી. વાયનાડની બેઠકથી તેઓ સાંસદ બન્યા હતા.


સાંસદ પદ રદ્દ થયા બાદ પ્રથમ વખત વાયનાડ જશે રાહુલ ગાંધી

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. જે મામલે સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા હતા. અને બે વર્ષની સજા રાહુલ ગાંધીને ફટકારવામાં આવી હતી. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા થઈ હતી રદ્દ 

ત્યારે સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી આજે પ્રથમ વખત રાહુલ ગાંધી વાયનાડની મુલાકાત લેવાના છે. મહત્વનું છે કે વાયનાડ સીટથી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી લડી હતી. તેમણે 4.31 લાખ જેટલા વોટોથી જીત હાંસલ કરી હતી. વાયનાડ બેઠકથી ચૂંટાઈને રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા . પરંતુ સુરતની કોર્ટના ચૂકાદા બાદ 24 માર્ચના રોજ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. માત્ર થોડા કલાક બાદ પણ લોકસભાની વેબસાઈટથી રાહુલ ગાંધીનું નામ હટાવી દેવામાં આવ્યું હતું.     

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.