આવતીકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 14:37:41

STORY BY SAMIR PARMAR

5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી ચૂંટણીના આયોજન માટે બુથ કાર્યકર્તાઓને સંબોધશે અને ચૂંટણી મામલે કોંગ્રેસના કાર્યકરોને માર્ગદર્શન આપશે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક પણ 5 સપ્ટેમ્બરના રોજ મળશે. જોકે મહત્વની વાત છે ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ધ્યાન રાખવા માટે આવતીકાલે રાજસ્થાનના મુખ્યમંત્રી અને સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અશોક ગેહલોત કોંગ્રેસના બુથલેવલના કોંગ્રેસી કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણી રણનીતિ મામલે બેઠકો યોજશે. 

 

અત્યાર સુધી કેવી રહી કોંગ્રેસની કામગીરી?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જમીની સ્તર પર મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 1 અને 2 સપ્ટેમ્બરના રોજ પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજી હતી. અમદાવાદ વિસ્તારની 8 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે ગ્રાઉન્ડ પર જઈ પરિવર્તન સંકલ્પયાત્રાથી જનસંપર્ક કર્યો હતો.  ટૂંક સમય પહેલા કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત પણ બે દિવસીય પ્રવાસ માટે ગુજરાતઆવ્યા હતા અને કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે બેઠકો અને સંવાદો કર્યા હતા. કોંગ્રેસે રાહુલ ગાંધીની પ્રવાસની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.  


ગુજરાતમાં આ સમયે ત્રીપાંખીયો જંગ જામશે માટે કોંગ્રેસને બે પાર્ટીઓ સામે જંગ લડવી પડશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષથી શાસન છે અને આમ આદમી પાર્ટીના આગમન સાથે જ અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા અને કામની ગેરંટીના કારણે વધી ગઈ છે. ત્યારે કોંગ્રેસ કેવી રીતે વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડશે તે જોવાનું રહેશે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.