આવતીકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 14:37:41

STORY BY SAMIR PARMAR

5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી ચૂંટણીના આયોજન માટે બુથ કાર્યકર્તાઓને સંબોધશે અને ચૂંટણી મામલે કોંગ્રેસના કાર્યકરોને માર્ગદર્શન આપશે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક પણ 5 સપ્ટેમ્બરના રોજ મળશે. જોકે મહત્વની વાત છે ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ધ્યાન રાખવા માટે આવતીકાલે રાજસ્થાનના મુખ્યમંત્રી અને સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અશોક ગેહલોત કોંગ્રેસના બુથલેવલના કોંગ્રેસી કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણી રણનીતિ મામલે બેઠકો યોજશે. 

 

અત્યાર સુધી કેવી રહી કોંગ્રેસની કામગીરી?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જમીની સ્તર પર મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 1 અને 2 સપ્ટેમ્બરના રોજ પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજી હતી. અમદાવાદ વિસ્તારની 8 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે ગ્રાઉન્ડ પર જઈ પરિવર્તન સંકલ્પયાત્રાથી જનસંપર્ક કર્યો હતો.  ટૂંક સમય પહેલા કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત પણ બે દિવસીય પ્રવાસ માટે ગુજરાતઆવ્યા હતા અને કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે બેઠકો અને સંવાદો કર્યા હતા. કોંગ્રેસે રાહુલ ગાંધીની પ્રવાસની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.  


ગુજરાતમાં આ સમયે ત્રીપાંખીયો જંગ જામશે માટે કોંગ્રેસને બે પાર્ટીઓ સામે જંગ લડવી પડશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષથી શાસન છે અને આમ આદમી પાર્ટીના આગમન સાથે જ અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા અને કામની ગેરંટીના કારણે વધી ગઈ છે. ત્યારે કોંગ્રેસ કેવી રીતે વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડશે તે જોવાનું રહેશે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.