રાહુલ ગાંધી આજે ખાલી કરશે સરકારી બંગલો! સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપશે, સોનિયા ગાંધીની જોડે રહેશે રાહુલ ગાંધી!


  • Published By :
  • Published Date : 2023-04-22 09:49:17

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટમાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પોતાનો સામાન સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કરી દીધો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી પોતાનો સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપી દેશે.


સરકારી બંગલો ખાલી કરવા આપવામાં આવી હતી નોટિસ!

2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે નિવેદન આપ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. જેને લઈ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ આદેશ કર્યો હતો.


થોડા સમય પહેલા સોનિયા ગાંધીના ઘરે રાહુલ ગાંધીએ સામાન કર્યો હતો શિફ્ટ!

સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે તેવી અરજી સુરતની સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે આ મામલે સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો હતો અને નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે તે અરજીને ફગાવી દીધી હતી. જેને લઈ રાહુલ ગાંધીની સજા યથાવત રહી હતી. સજા મળતા રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રાહુલ ગાંધી સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપી શકે છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ પોતાનો સામાન માતા સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કર્યો હતો. ત્યારે હવે રાહુલ ગાંધી પોતાની માતાની સાથે રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.