Rahul Gandhiની સંસદમાં થશે વાપસી, અધિસૂચના કરાઈ જાહેર, કોંગ્રેસમાં છવાયો આનંદ


  • Published By :
  • Published Date : 2023-08-07 12:44:25

રાહુલ ગાંધીને મોટી રાહત સુપ્રીમ કોર્ટથી મળી હતી. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ રાહુલ ગાંધીને બે વર્ષની સજા મળી હતી. તેમને આપવામાં આવેલી સજાને કારણે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ્દ થઈ ગયું હતું. તેમની સદસ્યતા લેવાઈ હતી. ત્યારે થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને આ કેસને લઈ મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી હતી જેને કારણે તેમને સાંસદ તરીકેનું પદ પાછું મળી ગયું છે. 136 દિવસ પછી રાહુલ ગાંધીને પોતાનું પદ પાછું મળતા કોંગ્રેસના નેતાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાંસદ પદ અંગે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. સાંસદ પદ મળ્યા બાદ રાહુલ ગાંધી સાંસદ પહોંચ્યા હતા જ્યાં તેમનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. INDIA ગઠબંધનના સાંસદોએ નારા લગાવી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. 

રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસમાં આનંદની લહેર 

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓને લઈ અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આ વખતની સંસદમાં રાહુલ ગાંધી પોતાની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થવાને કારણે હાજર રહી શકતા ન હતા. પરંતુ મોદી સરનેમ કેસને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સજા પરના સ્ટેને કારણે તેમને પોતાનું સાંસદ પદ મળ્યું છે. રાહુલ ગાંધીને પોતાનું સાંસદ પદ પાછું મળતા કોંગ્રેસમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી હતી. કોંગ્રેસ કાર્યાલયમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.


શું હતો સમગ્ર મામલો?

સમગ્ર મામલાની વાત કરીએ તો કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? આ નિવદેનને લઈ ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કરી દીધો. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સજા મળવાને કારણે તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા ચૂકાદાને કારણે રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે અને તેમનું સાંસદ તરીકેનું પદ તેમને પાછું મળ્યું  છે.  





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.