Kedarnath પહોંચેલા Rahul Gandhiએ શ્રદ્ધાળુઓને વેચી ચા! લોકો સાથે માણી ચાની મજા


  • Published By :
  • Published Date : 2023-11-06 16:50:44

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે ઉપરાંત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એક તરફ ચૂંટણી પ્રચારનો ધમધમાટ છે તો બીજી તરફ રાહુલ ગાંધી એકાંતવાસ ભોગવવા માટે કેદારનાથ ધામ પહોંચ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાબા કેદારનાથને શરણે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના અનેક ફોટો તેમજ વીડિયો સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના ફોટાને શેર કરવામાં આવ્યા છે. પ્રસાદનું વિતરણ કરતા તેઓ દેખાઈ રહ્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી ચાની ચૂકસી લેતા જોવા મળે છે. ચા પીરસતા રાહુલ ગાંધી દેખાયા હતા.

કેદારનાથમાં રાહુલ ગાંધી

સ્થાનિક લોકોની રાહુલ ગાંધીએ કરી મુલાકાત 

બાબા કેદારનાથના દર્શનાર્થે લાખો લોકો આવે છે. લાખો ભક્તો ચારધામની યાત્રાએ ગયા હતા અને ભગવાન સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. અનેક બોલિવુડ એક્ટર તેમજ નેતાઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કેદારનાથના શરણે પહોંચ્યા હતા અને શીશ ઝુકાવ્યું હતું. હેલિપેડથી સામાન્ય માણસની જેમ તેમણે મુસાફરી કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક લોકોની સાથે પણ વાતચીત તેમ જ મુલાકાત કરી હતી.


લાઈનમાં ઉભા રહેલા લોકોને રાહુલ ગાંધીએ પિરસી ચા!

આ યાત્રાને લઈ કહેવામાં આવી રહ્યું છે કે આ તેમની ધાર્મિક યાત્રા છે. રાહુલ ગાંધીની સાદગી જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા અનેક વીડિયો તેમજ ફોટો શેર કરવામાં આવ્યા છે. પ્રસાદનું વિતરણ કરતા તેઓ દેખાઈ રહ્યા છે. એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ લાઈનમાં ઉભા રેહલા મુસાફરોને ચા વેચી રહ્યા છે. રાહુલ ગાંધી રવિવાર બપોરે કેદારનાથ પહોંચ્યા હતા. આ યાત્રા 3 દિવસ સુધી ચાલવાની છે. કેદારનાથ ધામમાં જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


આ યાત્રાને કોંગ્રેસે ગણાવી રાહુલ ગાંધીની અંગત યાત્રા 

ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીની આ યાત્રાને લઈ રાજકીય વર્તુળમાં ચર્ચાઓ થઈ રહી છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી રાજકીય નિવેદનો આપવાથી બચી રહ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાતને સંપૂર્ણ રીતે વ્યક્તિગત અને આધ્યાત્મિક મુલાકાત ગણાવવામાં આવી રહી છે, ઉત્તરાખંડ કોંગ્રેસ દ્વારા આ અંગે કોઈ ઔપચારિક રીતે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. ઉત્તરાખંડ કોંગ્રેસના અધિકારીએ કહ્યું કે આ રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા છે અને કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ યાત્રાને રાહુલ ગાંધીની વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રાનું સન્માન કરે. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.