રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી, સોનિયાના ઘરે રાહુલ ગાંધીનો સામાન કરાયો શિફ્ટ, સાંસદ પદ રદ્દ થયા બાદ મકાન ખાલી કરવા મળી હતી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-04-15 17:01:19

સુરત કોર્ટે મોદી સરનેમને લઈ આપેલા નિવેદન વિરૂદ્ધ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ આ મામલે તરત કાર્યવાહી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા આદેશ આપ્યો હતો. ત્યારે ગઈકાલે એટલે કે શુક્રવારે રાહુલ ગાંધીએ 12 તુગલક રોડ પર આવેલા સરકારી નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. તેમના સામાનને સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. સોનિયા ગાંધીનું નિવાસસ્થાન 10 જનપથ ખાતે આવ્યું છે.

   

રાહુલનો સામાન શિફ્ટ કરવામાં લગભગ 5 કલાકનો સમય લાગ્યો હતો.

અમેઠીથી સાંસદ બન્યા બાદ 2005માં સરકારી બંગલો આપવામાં આવ્યો હતો


રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી!        

2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈ એક નિવેદન આપ્યું હચું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આ મામલે દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમનું સાંસદ પદ રદ્ કરવામાં આવ્યું હતું. અને સરકારી બંગલો ખાલી કરવા પણ આદેશ કર્યો હતો. ઘર ખાલી કરવા માટે રાહુલ ગાંધીને 24 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો છે. 


રાહુલ ગાંધીનો સામાન સોનિયા ગાંધીના ઘરે કરાયો શિફ્ટ

ઘર ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ રાહુલ ગાંધી કયા ઘરમાં રહેશે તે મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ મામલે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ સરકારી બંગલો ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીના સામાનને સોનિયા ગાંધીના ઘરે ખસેડવામાં આવ્યો છે. લગભગ 19 વર્ષ બાદ રાહુલ ગાંધી તેમનું સત્તાવાર નિવાસસ્થાન હતું પરંતુ સાંસદ પદ રદ્દ થયા બાદ તેમણે પોતાનું ઘર ખાલી કરી દીધું છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.