રાહુલ ગાંધીને 12 તુગલક લેનનો બંગલો ફરી મળ્યો, કહ્યું 'આખું હિંદુસ્તાન મારૂ ઘર છે'


  • Published By :
  • Published Date : 2023-08-08 18:22:14

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ પુનઃ પ્રાપ્ત થયા બાદ હવે તેમને બીજા સારા સમાચાર મળ્યા છે. સંસદની હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને ફરી બંગલો ફાળવ્યો છે. રાહુલ ગાંધીને ફરીથી 12 તુગલક લેન પરનો બંગલો  ફાળવવામાં આવ્યો છે. બંગાળ મળ્યા બાદ રાહુલ ગાંધી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે સમગ્ર ભારત મારું ઘર છે. બીજી તરફ કોંગ્રેસના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રાહુલ ગાંધીને દિલ્હીમાં સાંસદ તરીકે બંગલો ફાળવવા માટે એસ્ટેટ ઓફિસ તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ છે. હાલમાં, તેમને 12, તુગલક લેન ખાતેનું તેમનું અગાઉનું નિવાસસ્થાન ઓફર કરવામાં આવ્યું છે.


રાહુલ ગાંધીએ નિવાસસ્થાન ખાલી કર્યું હતું


માર્ચ મહિનામાં રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ સમાપ્ત થયા બાદ તેમણે એપ્રિલમાં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરતી વખતે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્ય બોલવા માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને હવે તેઓ આ ઘરમાં રહેવા માંગતા નથી કારણ કે ભારતના લોકો દ્વારા તેમને આપવામાં આવેલો બંગલો "છીનવી લેવામાં આવ્યો હતો".



દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે

CBSE ગવર્નિંગ બોર્ડ બેઠકમાં ડમી શાળાઓ માટે નવા કડક નિયમો બનવામાં આવ્યા છે. જેમાં બોર્ડે નોંધ્યું છે કે જે વિધાર્થીઓ મેડીકલ કે એન્જિનિયરિંગ માટેની કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારીઓ માટે કરીને ડમી શાળાઓમાં એડમીશનની લે છે. બોર્ડે કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓને ડમી ને બદલે ઓપેન સ્કૂલનો પર્યાય અપનાવવાની સલાહ.

ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.