રાહુલ ગાંધીને 12 તુગલક લેનનો બંગલો ફરી મળ્યો, કહ્યું 'આખું હિંદુસ્તાન મારૂ ઘર છે'


  • Published By :
  • Published Date : 2023-08-08 18:22:14

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ પુનઃ પ્રાપ્ત થયા બાદ હવે તેમને બીજા સારા સમાચાર મળ્યા છે. સંસદની હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને ફરી બંગલો ફાળવ્યો છે. રાહુલ ગાંધીને ફરીથી 12 તુગલક લેન પરનો બંગલો  ફાળવવામાં આવ્યો છે. બંગાળ મળ્યા બાદ રાહુલ ગાંધી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે સમગ્ર ભારત મારું ઘર છે. બીજી તરફ કોંગ્રેસના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રાહુલ ગાંધીને દિલ્હીમાં સાંસદ તરીકે બંગલો ફાળવવા માટે એસ્ટેટ ઓફિસ તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ છે. હાલમાં, તેમને 12, તુગલક લેન ખાતેનું તેમનું અગાઉનું નિવાસસ્થાન ઓફર કરવામાં આવ્યું છે.


રાહુલ ગાંધીએ નિવાસસ્થાન ખાલી કર્યું હતું


માર્ચ મહિનામાં રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ સમાપ્ત થયા બાદ તેમણે એપ્રિલમાં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરતી વખતે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્ય બોલવા માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને હવે તેઓ આ ઘરમાં રહેવા માંગતા નથી કારણ કે ભારતના લોકો દ્વારા તેમને આપવામાં આવેલો બંગલો "છીનવી લેવામાં આવ્યો હતો".



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.