રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન! સંબોધનમાં કહ્યું 'તેઓ ભવિષ્યની વાત નથી કરતા, નિષ્ફળતા માટે ભૂતકાળને દોષ આપે છે'


  • Published By :
  • Published Date : 2023-06-05 09:40:06

ઓડિશા રેલવે દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઈ સરકારની ટીકા વિપક્ષ દ્વારા કરવામાં  આવી રહી છે. અનેક પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધ્યું છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદી ક્યારેય ભવિષ્યને લઈ વાતો નથી કરતા. પોતાની નિષ્ફળતાઓ માટે હંમેશા ભૂતકાળમાં કોઈ બીજાને દોષ આપે છે. પીએમ મોદી દેશને પાછળ લઈ જઈ રહ્યા છે. 

ઓડિશા ટ્રેન અકસ્માત અંગે રાહુલ ગાંધીએ કરી વાત!

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ અનેક વખત પોતાના સંબોધનમાં ભાજપ પર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ત્યારે ન્યુયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ ઓડિશામાં બનેલી ટ્રેન અકસ્માતને લઈ વાત કરી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસની સરકાર દરમિયાન બનેલી દુર્ઘટનાને યાદ કરી હતી ઉપરાંત રેલવે મંત્રીએ તરત પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ. 

કોંગ્રેસ સરકારને લઈ રાહુલ ગાંધીએ કરી વાત! 

ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે વાત કરતા તેમણે કહ્યું કે મને એક રેલ દુર્ઘટના યાદ છે જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી. તે સમયે કોંગ્રેસના નેતાએ એવું ન કહ્યું હતું કે ટ્રેન દુર્ઘટના અંગ્રેજોની ભૂલને કારણે થઈ હતી. તે દરમિયાન કોંગ્રેસના તત્કાલિન મંત્રીએ કહ્યું હતું કે આ મારી જવાબદારી છે અને હું રાજીનામું આપી રહ્યો છું. પરંતુ આજે આપણી આ સમસ્યા છે, આપણે બહાના બનાવીએ છીએ અને વાસ્તવિક્તા સ્વીકારતા નથી. મૃત્યુ પછી પણ કોઈ જવાબદારી નથી. મોદી સરકાર આ દર્દનાક અકસ્માતની જવાબદારી લેવાથી ભાગી શકે નહીં. મોદી સરકારે આ દુર્ઘટનાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને પીએમ મોદીએ તરત જ રેલવે મંત્રીનું રાજીનામુ લઈ લેવું જોઈએ.   


ભારતમાં બે વિચારધારા હોવાની કરી વાત! 

વધુમાં તેમણે કહ્યું કે પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધી તેમજ નથ્થુરામ ગોડસેને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં બે પ્રકારની વિચાર ધારા ચાલી રહી ચે. જેમાં એક તરફ નથ્થુરામ ગોડસેની વિચારધારા છે અને બીજી તરફ મહાત્મા ગાંધીની વિચારધારા છે. અમે મહાત્મા ગાંધીની વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ.


વડાપ્રધાન મોદીએ લીધી હતી સ્થળ મુલાકાત!

મહત્વનું છે કે શુક્રવાર સાંજે ઓડિશામાં ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 250થી વધારે લોકોના મોત થયા હતા અને ગંભીર રીતે અનેક લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનાને પગલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શનિવાર બપોરે પીએમ મોદીએ દુર્ઘટના સર્જાઈ તે જગ્યાની મુલાકાત લીધી અને સમીક્ષા કરી હતી ઉપરાંત ઘાયલોની સાથે પણ મુલાકાત કરી હતી.      

       



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!