અમેરિકામાં રાહુલ ગાંધીએ ભારતની રાજનીતિને લઈ કરી વાત! નેશનલ પ્રેસ ક્લબમાં લોકસભાની ચૂંટણીને લઈ આપ્યું નિવેદન કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-02 09:58:49

રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન ભાજપ સરકાર પર તેમજ પીએમ મોદીને લઈ અનેક નિવેદનો આપી રહ્યા છે. રાહુલ ગાંધી નિવેદન અમેરિકામાં આપે છે અને હેડલાઈન્સ ભારતમાં બને છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ પહેલા પીએમ મોદીને લઈ નિવેદન આપ્યું હતું. તે બાદ તેમના સંસદ પદ રદ્દ થવા પર અમેરિકામાં વાત કરી હતી. ત્યારે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં વિપક્ષના એકજૂથ થવાની વાત કરી અને કહ્યું કે અમે ભાજપને હરાવીશું. મને નથી લાગતું કે પીએમ મોદી 2024માં જીતશે.

  

અનેક વખત કર્યો છે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ!  

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે અનેક નિવેદનો આપ્યા જેની ચર્ચા થઈ હતી. ત્યારે હવે રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા છે. અમેરિકામાં પોતાના સંબોધન દરમિયાન તેમણે ભાજપ પર અનેક પ્રહાર કર્યા છે. અનેક લોકો સાથે મુલાકાત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દે, ભારત જોડો યાત્રા મુદ્દે તેમજ ભારતની રાજનીતિ વિશે વાત કરી છે. ત્યારે વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે મીડિયા સમક્ષ અનેક મુદ્દાઓને લઈ નિવેદન આપ્યું હતું.  

મને લાગે છે કે પીએમ મોદી 2024માં નહીં જીતે - રાહુલ ગાંધી

વિપક્ષની એકતા મુદ્દે નિવેદન આપતા તેમજ લોકસભાની ચૂંટણીને લઈ તેમણે કહ્યું કે એવી અનેક જગ્યાઓ જ્યાં વિપક્ષ સાથે મુકાબલો કરી રહ્યા છીએ. અનેક એવા મુદ્દાઓ છે જેમાં એક વિચારધારા લાવવી પડશે. પરંતુ મને વિશ્વાસ છે કે ચૂંટણી સુધી અમે જરૂર સાથે આવીશું. અમે ભાજપને હરાવીશું. મને નથી લાગતું કે પીએમ મોદી 2024માં જીતશે. તેમણે ચીન અંગે વાત કરતા કહ્યું કે એ વાત સાચી છે કે ચીને અમારી જમીન પર કબજો જમાવ્યો છે અને તે તદ્દન અસ્વીકાર્ય છે. ચીનના કબજા હેઠળના અમારા પ્રદેશ પર મને ખબર નથી કે પીએમ કેમ અલગ રીતે વિચારે છે. ભારતમાં પહેલેથી જ ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. જોકે આ સિસ્ટમ નબળી પડી ગઈ છે. પરંતુ એવું નથી કે ત્યાં કોઈ વ્યવસ્થા નથી.

   

મુસ્લિમ લીગને લઈ રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન!

તે સિવાય કેરળમાં મુસ્લિમ લીગના ગઠબંધનને લઈ પણ તેમણે પોતાનો વિચાર રજૂ કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે મુસ્લિમ લીગ તમામ ભારતીયોને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતાનો અધિકાર છે. તેમણે કહ્યું કે ભાજપ નફરતને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં ભાગલા પાડે છે. સરકારી સંસ્થાનો અને મીડિયા પર ચોક્કસપણે કબજો જમાવી લેવાયો છે. મેં દેશભરમાં ભારત જોડો યાત્રા યોજી હતી જેમાં મને લોકોનો ગુસ્સો દેખાયો હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!