સર્વોચ્ચ અદાલતમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીએ શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-04 21:25:02

સુપ્રીમ કોર્ટે આજે (4 ઓગસ્ટ, શુક્રવારે ) એક મોટો આદેશ આપતા મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકી દીધો છે. કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મુકવો જરૂરી છે. મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલે કહ્યું કે સત્યની જીત થાય છે. મારો રસ્તો સાફ છે, મારે શું કરવાનું છે? કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે લોકોએ મદદ કરી અને જનતાનો તેમના સમર્થન માટે આભાર.


સત્યની જીત થઈ


સુપ્રીમ કોર્ટના આ ફેંસલા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું, "ભલે ગમે તે થાય, મારૂ કર્તવ્ય એ જ રહેશે. ભારતના વિચારની રક્ષા કરવી." રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતીકાલે સત્યની જીત થશે. પણ મારો રસ્તો સાફ છે. મારા મનમાં સ્પષ્ટતા છે. મને ખબર છે કે મારે શું કરવાનું છે.' 23 માર્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં દોષિત ઠેરવતા ગુજરાતની સુરતની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 


કોંગ્રેસે લોકસભા સ્પીકરને સાંસદ પદ યથાવત રાખવા  કરી માગ


સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમનું સભ્ય પદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને તેમને રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી હતી. કોંગ્રેસે માંગ કરી છે કે રાહુલ ગાંધીની સદસ્યતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ, કોંગ્રેસ હેડ ક્વાર્ટર પહોંચેલા રાહુલ ગાંધીનું પાર્ટીના કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચતા રાહુલ ગાંધી તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. કાર્યકરોએ ઢોલ વગાડી અને ધ્વજ લહેરાવીને ઉજવણી કરી હતી.


રાહુલ ગાંધીને કેમ થઈ હતી સજા?


ભાજપ નેતા પુર્ણેશ મોદીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે બધા જ ચોરોની સરનેમ મોદી કેવી રીતે હોઈ શકે. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્ય પદ ગુમાવી દીધું હતું.



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.