સર્વોચ્ચ અદાલતમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીએ શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-04 21:25:02

સુપ્રીમ કોર્ટે આજે (4 ઓગસ્ટ, શુક્રવારે ) એક મોટો આદેશ આપતા મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકી દીધો છે. કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મુકવો જરૂરી છે. મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલે કહ્યું કે સત્યની જીત થાય છે. મારો રસ્તો સાફ છે, મારે શું કરવાનું છે? કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે લોકોએ મદદ કરી અને જનતાનો તેમના સમર્થન માટે આભાર.


સત્યની જીત થઈ


સુપ્રીમ કોર્ટના આ ફેંસલા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું, "ભલે ગમે તે થાય, મારૂ કર્તવ્ય એ જ રહેશે. ભારતના વિચારની રક્ષા કરવી." રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતીકાલે સત્યની જીત થશે. પણ મારો રસ્તો સાફ છે. મારા મનમાં સ્પષ્ટતા છે. મને ખબર છે કે મારે શું કરવાનું છે.' 23 માર્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં દોષિત ઠેરવતા ગુજરાતની સુરતની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 


કોંગ્રેસે લોકસભા સ્પીકરને સાંસદ પદ યથાવત રાખવા  કરી માગ


સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમનું સભ્ય પદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને તેમને રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી હતી. કોંગ્રેસે માંગ કરી છે કે રાહુલ ગાંધીની સદસ્યતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ, કોંગ્રેસ હેડ ક્વાર્ટર પહોંચેલા રાહુલ ગાંધીનું પાર્ટીના કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચતા રાહુલ ગાંધી તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. કાર્યકરોએ ઢોલ વગાડી અને ધ્વજ લહેરાવીને ઉજવણી કરી હતી.


રાહુલ ગાંધીને કેમ થઈ હતી સજા?


ભાજપ નેતા પુર્ણેશ મોદીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે બધા જ ચોરોની સરનેમ મોદી કેવી રીતે હોઈ શકે. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્ય પદ ગુમાવી દીધું હતું.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!