સર્વોચ્ચ અદાલતમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીએ શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-04 21:25:02

સુપ્રીમ કોર્ટે આજે (4 ઓગસ્ટ, શુક્રવારે ) એક મોટો આદેશ આપતા મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકી દીધો છે. કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મુકવો જરૂરી છે. મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલે કહ્યું કે સત્યની જીત થાય છે. મારો રસ્તો સાફ છે, મારે શું કરવાનું છે? કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે લોકોએ મદદ કરી અને જનતાનો તેમના સમર્થન માટે આભાર.


સત્યની જીત થઈ


સુપ્રીમ કોર્ટના આ ફેંસલા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું, "ભલે ગમે તે થાય, મારૂ કર્તવ્ય એ જ રહેશે. ભારતના વિચારની રક્ષા કરવી." રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતીકાલે સત્યની જીત થશે. પણ મારો રસ્તો સાફ છે. મારા મનમાં સ્પષ્ટતા છે. મને ખબર છે કે મારે શું કરવાનું છે.' 23 માર્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં દોષિત ઠેરવતા ગુજરાતની સુરતની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 


કોંગ્રેસે લોકસભા સ્પીકરને સાંસદ પદ યથાવત રાખવા  કરી માગ


સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમનું સભ્ય પદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને તેમને રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી હતી. કોંગ્રેસે માંગ કરી છે કે રાહુલ ગાંધીની સદસ્યતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ, કોંગ્રેસ હેડ ક્વાર્ટર પહોંચેલા રાહુલ ગાંધીનું પાર્ટીના કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચતા રાહુલ ગાંધી તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. કાર્યકરોએ ઢોલ વગાડી અને ધ્વજ લહેરાવીને ઉજવણી કરી હતી.


રાહુલ ગાંધીને કેમ થઈ હતી સજા?


ભાજપ નેતા પુર્ણેશ મોદીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે બધા જ ચોરોની સરનેમ મોદી કેવી રીતે હોઈ શકે. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્ય પદ ગુમાવી દીધું હતું.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.