Rahul Gandhiએ કરી રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે વાત, 25 તારીખે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન..


  • Published By :
  • Published Date : 2024-06-22 18:24:26

રાજકોટ અગ્નિકાંડ દૂર્ઘટનાને એક મહિનો થવા આવ્યો... અનેક નાની માછલીઓને પકડી લેવામાં આવ્યા છે પરંતુ મોટા માછલાઓને નથી પકડવામાં આવી રહ્યા... નાના માણસો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા અધિકારીઓ બચીને જતા રહે છે. પીડિત પરિવાર ન્યાયની આશા ઝંખી રહ્યો છે. મૃતકોને ન્યાય મળે તેવી આશા છે પીડિત પરિવારોને.. ગુજરાતમાં વિપક્ષ એકદમ નબળું પડી ગયું હોય તેવું લાગતું પરંતુ પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવી છે. રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે વાત કરી છે.  

પીડિત પરિવાર સાથે રાહુલ ગાંધીએ કરી વાત 

રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 25મી તારીખે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે.... આ પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પણ તેમની વહારે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ પીડિત પરિવારો સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ પાસેથી વિગત મેળવી હતી.... આ ઘટનામાં ભાજપના નેતાઓની ચુપ્પી હજુ જનતાને અકળાવી રહી છે... 



માત્ર કહેવાથી કામ નથી થતું પરંતુ પગલા લેવા પડે..! 

મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઇક ભૂલ થઇ ગઇ છે.. મુખ્યમંત્રીએ કહી તો દીધું કે આપણી ભુલ છે પણ માત્ર બોલવાથી ભૂલ સુધરી જાય તો સારુ પણ એવુ થતુ નથી..... સવાલ એ છે કે શું માત્ર મુખ્યમંત્રીના બોલવાથી આ ઘટનાઓ અટકી જશે... હાઈકોર્ટ પણ કહી રહી છે કે આટલી બધી ઘટનાઓ બની પ્રશાસન યોગ્ય રીતે કામ કરતું જ નથી.. માત્ર કહેવાથી કામ નથી થતા પરંતુ તે પ્રમાણે કાર્યવાહી પણ કરવી પડે જેને લઈ ઉદાહરણ બેસે કે તપાસ સાચી દિશામાં આગળ વધી રહી છે. 



25 તારીખે કોંગ્રેસે આપ્યું છે બંધનું એલાન 

પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. વિપક્ષ દ્વારા આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. રાજકોટ પોલીસ કમિશનર કચેરીને જ્યારે ઘેરવાનો પ્લાન કોંગ્રેસે કર્યો હતો તે દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ ત્યાં હાજર હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં પીડિત પરિવારના સભ્યો.. મહત્વનું છે કે 25 તારીખે રાજકોટવાસીઓ રાજકોટ બંધ એલાનમાં જોડાય તેવું આહ્વાહન કરવામાં આવ્યું છે.    



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.