અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા ઘમાસાણ પર બોલ્યા રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2022-11-28 16:42:54

છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન પોલિટિક્સમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના અણબનાવની વાતો ચર્ચામાં આવી રહી છે. શાબ્દિક પ્રહારને લઈ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી માટે બંને નેતાઓ ખૂબ મહત્વના છે. રાજસ્થાનમાં ચાલતો વિવાદની અસર ભારત જોડો યાત્રા પર નહીં પડે.

 


બંને નેતાઓ પાર્ટી માટે મહત્વપૂર્ણ  છે - રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ ઈન્દોર પહોંચી હતી. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે રાજસ્થાનમાં ચાલતા રાજકીય ઘમાસાણ અંગે રાહુલે કહ્યું કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારો પર પાર્ટી નજર રાખી રહી છે. બંને નેતાઓ પાર્ટી માટે એસેટ સમાન છે. થોડા દિવસો બાદ બારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરવાની છે. જેને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિવાદની અસર ભારત જોડો યાત્રા પર નહીં પડે. પરંતુ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.