Parliamentમાં બોલ્યા Rahul Gandhi, ભાષણમાં મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ, અંબાણી તેમજ અદાણી મુદ્દે સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2024-07-29 17:40:45

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું.. સૌ કોઈની નજર બજેટ પર રહેલી હતી. બજેટને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે આજે સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી બોલ્યા હતા. સંસદમાં તેમણે બજેટને લઈ વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી. બજેટને લઈ મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક સવાલો ઉઠાવ્યા હતા. 

ભાષણ દરમિયાન ચક્રવ્યુહની કરી વાત   

રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન અનેક બાબતોને લઈ વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે બજેટની તુલના ચક્રવ્યુહ સાથે કરી હતી. તેમણે કહ્યું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને 6 લોકોએ ચક્રવ્યુહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યુહનું બીજું નામ પદ્મવ્યુહ છે, જે કમળના ફૂલના આકારમાં છે. તેની અંદર ભય અને હિંસા છે. 



"આજે પણ ચક્રવ્યુહની રચનામાં..."

21મી સદીમાં એક નવું 'ચક્રવ્યુહ' બન્યું છે - તે પણ કમળના ફૂલના રૂપમાં. જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. આજે પણ ચક્રવ્યુહની મધ્યમાં 6 લોકો છે. આ 6 લોકો છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અદાણી અને અંબાણી.

મધ્યમ વર્ગને લઈ રાહુલ ગાંધીએ કરી વાત

તે સિવાય તેમણે મધ્યમ પરિવારને લઈ વાત કરી હતી.. તેમણે કોરોના કાળ દરમિયાનનો સમય યાદ કરાવ્યો અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં મધ્યમ વર્ગ બજેટ પહેલા કદાચ પીએમ મોદીને સપોર્ટ કરતો હતો, જ્યારે કોરોનામાં પીએમ મોદીએ થાળી વગાડવાની વાત કરી, મોબાઈલમાં લાઈટ કરવાની વાત કરી તે બધું કર્યું પરંતુ આ બજેટમાં પીએમ મોદીએ Indexation અને Capital Gain Tax વધારીને મધ્યમ વર્ગ પર પ્રહાર કર્યા છે. તે સિવાય તેમણે પોતાના ભાષણ દરમિયાન અગ્નિવીરને લઈ વાત કરી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે