રાહુલ ગાંધીના તવાંગ મુદ્દે અપાયેલા નિવેદન પર સંસદમાં થઈ શકે છે હંગામો


  • Published By :
  • Published Date : 2022-12-19 10:14:41

સંસદમાં ભારત અને ચીન વચ્ચે ચાલતા વિવાદને કારણે અનેક વખત હંગામો થયો છે. જેને કારણે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડે છે. ત્યારે તવાંગના મુદ્દાને લઈ ફરી એક વખત સંસદમાં હંગામો થઈ શકે છે તેવી સંભાવના દેખાઈ રહી છે. તવાંગના પ્રશ્નને લઈ વિપક્ષે અનેક સવાલ ઉઠાવ્યા હતા ત્યારે આ મુદ્દા પર રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે જેને લઈ સંસદમાં હોબાળો થઈ શકે છે.


તવાંગ મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

તવાંગ મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ ભારતની સરકારને આ વાતની ગંભીરતા ન સમજાઈ અને ઉંઘી રહ્યું હતું.  વધુમાં તેમણે કહ્યું કે ચીનની તૈયારી યુદ્ધ કરવાની હતી ન કેવલ ઘૂસણખોરી કરવાની. આ મુદ્દોને લઈ વિપક્ષ હમેશાં આક્રામક રૂપમાં દેખાયું છે. આ ઘટનાની આલોચના કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે પણ સંસદમાં ઉઠ્યો ત્યારે હોબાળો થયો છે અને કાર્યવાહીને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવે છે. 


તવાંગમાં ચાલતા વિવાદને લઈ સંસદમાં થઈ શકે છે હંગામો 

આ વાતને લઈ ભાજપના નેતાઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભાજપના નેતા મનજિંદર સિંહ લિપસાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ટ્વિટ કરી તેમણે લખ્યું કે આ ખરાબ નિવેદન સાંભળીને મારૂ લોહી ઊકળી રહ્યું છે. આવી દેશવિરોધી વાત કરવા બદલ સોનિયા ગાંધીએ અને પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીને ફટકારવો જોઈએ. આ ટ્વિટને કારણે નવો વિવાદ છેડાઈ ગયો છે. આ મુદ્દો જ્યારે સંસદમાં ઉઠશે ત્યારે ફરી એક વખત સંસદમાં જોરદાર હંગામો થઈ શકે છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.