Rahul Gandhiની વધી શકે છે મુશ્કેલી, BJPએ આ ટ્વિટને લઈ ચૂંટણી આયોગને કરી ફરિયાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-25 17:04:44

રાજસ્થાનની 199 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચાર જોરોશોરથી કર્યો છે. પ્રચાર દરમિયાન આપવામાં આવેલા નિવેદન વિશે તો ખબર જ છે. જનસભામાં પનોતી સહિતના અનેક શબ્દો રાહુલ ગાંધીએ બોલ્યા હતા જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે કારણ કે ભાજપે ચૂંટણી પંચને અરજી લખી છે. એવામાં BJPએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે આરોપ લગાવતા કહ્યું કે, સોશિયલ મીડિયા હેન્ડલ Xના ઉપયોગ દ્વારા તેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. 

રાહુલ ગાંધી વિરૂદ્ધ એક્શન લેવા કરાઈ અપીલ 

ચૂંટણી શરૂ થાય તેની પહેલા આચાર સંહિતા લાગી જતી હોય છે. આ સમય દરમિયાન ચૂંટણી પ્રચાર નથી કરવામાં આવતો. આ બધા વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી આયોગને રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે. ભાજપે ચૂંટણી પંચને સોશિયલ મીડિયા કંપની પાસે રાહુલ ગાંધીના એકાઉન્ટને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ વાંધાજનક કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા માટેની અપીલ કરી છે. વાત એમ હતી કે સવારે રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે મતદાન કરવા અપીલ કરી હતી જેને કારણે આ વિવાદ હંગામો થયો છે. મતદાન કરવા માટે રાહુલે અપીલ તો કરી પરંતુ તેમણે કોંગ્રેસને મતદાન કરવા અપીલ કરી હતી.



ભાજપે શેની કરી માગણી?  

ભારતીય જનતા પાર્ટી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીનું એક્સ એકાઉન્ટ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ રાહુલ ગાંધીના તે ટ્વીટને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપવામાં આવે. તે જ સમયે, પાર્ટીએ પંચને વિનંતી કરી છે કે તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી રાજસ્થાનને રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને ફોજદારી કેસ શરૂ કરવા માટે નિર્દેશ આપે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની મુશ્કેલી પ્રતિદિન વધી રહી છે



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.