Rahul Gandhiની વધી શકે છે મુશ્કેલી, BJPએ આ ટ્વિટને લઈ ચૂંટણી આયોગને કરી ફરિયાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-25 17:04:44

રાજસ્થાનની 199 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચાર જોરોશોરથી કર્યો છે. પ્રચાર દરમિયાન આપવામાં આવેલા નિવેદન વિશે તો ખબર જ છે. જનસભામાં પનોતી સહિતના અનેક શબ્દો રાહુલ ગાંધીએ બોલ્યા હતા જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે કારણ કે ભાજપે ચૂંટણી પંચને અરજી લખી છે. એવામાં BJPએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે આરોપ લગાવતા કહ્યું કે, સોશિયલ મીડિયા હેન્ડલ Xના ઉપયોગ દ્વારા તેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. 

રાહુલ ગાંધી વિરૂદ્ધ એક્શન લેવા કરાઈ અપીલ 

ચૂંટણી શરૂ થાય તેની પહેલા આચાર સંહિતા લાગી જતી હોય છે. આ સમય દરમિયાન ચૂંટણી પ્રચાર નથી કરવામાં આવતો. આ બધા વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી આયોગને રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે. ભાજપે ચૂંટણી પંચને સોશિયલ મીડિયા કંપની પાસે રાહુલ ગાંધીના એકાઉન્ટને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ વાંધાજનક કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા માટેની અપીલ કરી છે. વાત એમ હતી કે સવારે રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે મતદાન કરવા અપીલ કરી હતી જેને કારણે આ વિવાદ હંગામો થયો છે. મતદાન કરવા માટે રાહુલે અપીલ તો કરી પરંતુ તેમણે કોંગ્રેસને મતદાન કરવા અપીલ કરી હતી.



ભાજપે શેની કરી માગણી?  

ભારતીય જનતા પાર્ટી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીનું એક્સ એકાઉન્ટ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ રાહુલ ગાંધીના તે ટ્વીટને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપવામાં આવે. તે જ સમયે, પાર્ટીએ પંચને વિનંતી કરી છે કે તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી રાજસ્થાનને રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને ફોજદારી કેસ શરૂ કરવા માટે નિર્દેશ આપે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની મુશ્કેલી પ્રતિદિન વધી રહી છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.